For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષાબંધન પર અંબાજી મંદિર ૧૪ આદિવાસી જિલ્લાઓમાં ૨ લાખ રક્ષા પોટલીઓ મોકલાશે!

રક્ષા બંધનના પર્વ પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં અંબાજીના આશીર્વાદ સમાન ૨ લાખ રક્ષા પોટલીઓ પહોચાડવાની શરૂઆત કરવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રક્ષા બંધનના પર્વ પર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાતના ૧૪ આદિવાસી જિલ્લાઓમાં અંબાજીના આશીર્વાદ સમાન ૨ લાખ રક્ષા પોટલીઓ પહોચાડવાની શરૂઆત કરવામાં આવી છે. અંબાજી ખાતે કલેકટર આંનદ પટેલની ઉપસ્થિતિમાં "રક્ષાબંધન ઉત્સવ"ની ઉજવણી કરવામાં આવી હતી.

ambaji

અંબાજીથી ઉંમરગામ સુધીના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં વસતા ગ્રામ્યવાસી, નગરવાસી અને વનવાસી બંધુઓના ઘરે ઘરે ૨ લાખ રક્ષાપોટલીઓ, અંબાજીના પ્રસાદ તરીકે ૩૦૦ કિલો કંકુ, અને જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને ૪૫૦ સાડીઓ અર્પણ કરવામાં આવી હતી.

શ્રાવણ માસના પ્રથમ દિવસે આયોજિત આ રક્ષાબંધન ઉત્સવ સમગ્ર વિસ્તાર શ્રદ્ધાના એક તાંતણે બંધાશે અને માં અંબાનું અભય કવચ મળી રહેશે. ઉપરાંત જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને સાડી, અને કંકુ પણ માં ના પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યું છે. આ કાર્યમાં અંબાજી દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે.

English summary
On Rakshabandhan, Ambaji Mandir will send 2 lakh Raksha pots to 14 tribal districts!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X