જામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાના
જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે.
જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના આ સંક્રમણને અટકાવવા લૉકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલવે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતી શ્રમિકો તેમના પરિવારને બિહાર દાનાપુર ખાતે તેમના વતન પરત ફરવા માટેની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી 12 ટ્રેન મોકલવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેમના પરિવારજનોનુ મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
