જામનગરથી વધુ એક શ્રમિક ટ્રેન દાનાપુર જવા રવાના
જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે.
જામનગરથી પરપ્રાંતીય શ્રમિકોને વતન જવા માટે સતત પશ્ચિમ રેલવેના સહયોગથી યુપી અને બિહાર પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના આ સંક્રમણને અટકાવવા લૉકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જામનગર જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતી શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે મેનેજમેન્ટ દ્વારા આજરોજ જામનગર રેલવે જંકશન ખાતેથી અંદાજે 1600 જેટલા પરપ્રાંતી શ્રમિકો તેમના પરિવારને બિહાર દાનાપુર ખાતે તેમના વતન પરત ફરવા માટેની ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી 12 ટ્રેન મોકલવામાં આવી છે. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેમના પરિવારજનોનુ મેડીકલ ચેકઅપ કરીને લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ જળવાઈ રહે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અમ્ફાન વાવાઝોડાથી પશ્ચિમ બંગાળમાં 72 લોકોના મોત, મમતા બેનર્જીએ કર્યુ 2 લાખના વળતરનુ એલાન