22 ભારતીય માછીમારોને પાકિસ્તાને છોડ્યા, બોર્ડર પર સર્જાયા ભાવુક દ્રશ્યો
Wagah Border: પાકિસ્તાન દ્વારા 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરવામાં આવેલા તમામ માછીમારો અટારી-વાઘા સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ્યા હતા. સ્વદેશ પાછા ફરતાં બધાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

આ દમરમિયાન વતન પરત ફરેલા માછીમારોને જોઈ પરિવારોની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા. લાંબા સમય બાદ પરિવાર સાથે મિલન કરતા બોર્ડર પર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
ઉલ્લેખનીય છે કે, મુક્ત કરવામાં આવેલા મોટાભાગના માછીમારો ગુજરાતના છે. આ લોકો માછીમારી કરતી વખતે ભૂલથી પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયા હતા. આ પછી, પાકિસ્તાન પોલીસે તેને પકડી લીધો અને જેલમાં ધકેલી દીધા હતા.
અટારી-વાઘા બોર્ડર પરના પ્રોટોકોલ ઓફિસર અરુણપાલ સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાને આજે 2021-22માં માછીમારી કરતી વખતે પકડાયેલા 22 માછીમારોને મુક્ત કર્યા છે. તેમને અલગ અલગ સજાઓ આપવામાં આવી હતી; કેટલાકને 36 મહિનાની, કેટલાકને 1 વર્ષની, તો કેટલાકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમને મુક્ત કરવામાં આવ્યા છે, અને તેઓ આજે અહીં પહોંચ્યા છે, અને બધા ખુશ છે. મુક્ત કરાયેલા માછીમારોમાંથી ગુજરાતના 18, 3 દીવના અને એક યુપીના છે.
પાકિસ્તાની અધિકારીઓ વાઘા બોર્ડર દ્વારા ભારતીય માછીમારોને સ્વદેશ પરત મોકલે છે, જ્યાં ભારતીય અધિકારીઓ સત્તાવાર ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી દરિયાકાંઠાના સમુદાયોમાં તેમના પાછા ફરવાની સુવિધા આપે છે.
બંને દેશો નિયમિતપણે હરીફ માછીમારોની ધરપકડ કરે છે, જેઓ ખોટી રીતે સીમાંકિત દરિયાઈ સીમાઓને કારણે ઘણીવાર એકબીજાના પાણીમાં પ્રવેશ કરે છે.
ઉલ્લેખનીય છે કે, 1 જાન્યુઆરીએ બંને દેશો વચ્ચે થયેલા કેદીઓની યાદી અનુસાર, પાકિસ્તાનમાં 266 ભારતીય કેદીઓ (49 નાગરિક કેદીઓ અને 217 માછીમારો) હતા.
ભારત દ્વારા શેર કરવામાં આવેલી યાદી દર્શાવે છે કે, ભારતીય જેલોમાં કુલ 462 પાકિસ્તાની (381 નાગરિક કેદીઓ અને 81 માછીમારો) હતા.
#WATCH | Amritsar, Punjab: Arunpal Singh, Protocol Officer at Attari-Wagah border, says, "Pakistan today released 22 fishermen who were caught while fishing in 2021-22. They were given different sentences; someone was sentenced for 36 months, 1 year, 2 years. They have been… https://t.co/3KHsxs9JGc pic.twitter.com/4QdVUlap2l
— ANI (@ANI) February 22, 2025
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
