પંચમહાલના ખોજલવાસા ગામમાં મકાન ધરાશાયી, મહિલાનું મોત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભારે વરસાદને કારણે એક કરુણ ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.
ખોજલવાસા ગામના બારિયા ફળિયામાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી એક કાચું મકાન ધરાશાયી થયું હતું, જેના કાટમાળ નીચે દટાઈ જવાથી એક મહિલાનું મોત થયું છે.

મૃતક મહિલાનું નામ કૈલાશબેન મહેશભાઈ બારિયા છે, જેમની ઉંમર ૪૨ વર્ષ હતી. ઘટના સમયે તેઓ મકાનમાં સૂઈ રહ્યા હતા. અચાનક મકાન તૂટી પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ દુઃખદ ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગામના સરપંચ અને તલાટી સહિતના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક તંત્ર દ્વારા મૃતકના પરિવારને સહાય પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
More From
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
