પંચમહાલના ખોજલવાસા ગામમાં મકાન ધરાશાયી, મહિલાનું મોત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ભારે વરસાદને કારણે એક કરુણ ઘટના બની છે. આ ઘટનામાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.
ખોજલવાસા ગામના બારિયા ફળિયામાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી એક કાચું મકાન ધરાશાયી થયું હતું, જેના કાટમાળ નીચે દટાઈ જવાથી એક મહિલાનું મોત થયું છે.

મૃતક મહિલાનું નામ કૈલાશબેન મહેશભાઈ બારિયા છે, જેમની ઉંમર ૪૨ વર્ષ હતી. ઘટના સમયે તેઓ મકાનમાં સૂઈ રહ્યા હતા. અચાનક મકાન તૂટી પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ દુઃખદ ઘટનાની જાણ થતાં ગ્રામજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગામના સરપંચ અને તલાટી સહિતના અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક તંત્ર દ્વારા મૃતકના પરિવારને સહાય પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
More From
-
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
