For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદ ખેંચાતા આણંદના કરમસદમાં પર્જન્ય યજ્ઞ કરાયો

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે વરસાદને રીઝવવા પુજા-અર્ચના શરૂ કરવામાં આવી છે. પૌરાણિક શાસ્ત્રોમાં વરસાદને રિઝવવા અનેક પ્રકારના વિધી વિધાનો ઉપલબ્દ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે વરસાદને રીઝવવા પુજા-અર્ચના શરૂ કરવામાં આવી છે. પૌરાણિક શાસ્ત્રોમાં વરસાદને રિઝવવા અનેક પ્રકારના વિધી વિધાનો ઉપલબ્દ છે. આ વિધી વિધાનોને અનુસરતા આણંદના કરમસદમાં એક અનોખા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

Parjanya Yajna

પહેલા રાઉન્ડ બાદ વરસાદે વિરામ લેતા દિવસે દિવસે ખેડુતોની હાલત કફોડી બની રહી છે. મોટા ભાગના ખેડુતોએ પહેલા વરસાદ બાદ વાવણી કરી દીધી છે. હવે વરસાદ ખેંચાતા ઉગીને તૈયાર થયેલો પાક નિષ્ફળ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. જો હવે વરસાદમાં વિલંબ થાય તો ખેડુતોને મોટુ નુકસાન ઉઠાવવુ પડી શકે છે ત્યારે આણંદમાં પૌરાણિક વિધી વિધાનો મુજબ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પૌરાણિક ગ્રંથો મુજબ વરસાદને રિઝવવા આ યજ્ઞનું આયોજન કરાય છે. કહેવાય છે કે આ યજ્ઞથી વરસાદનું આગમન થાય છે.

કરમસદમાં આ યજ્ઞ બાદ ગામની બહેનોએ એકઠા થઈ જળ અર્પણ કરી વરસાદ માટે પ્રાથના કરી હતી. ઉલ્લેખનિય છે કે 2018 માં વરસાદ ખેંચાતા ગુજરાત સરકારે રાજ્યભરમાં પર્જન્ય યજ્ઞ કરવાની જાહેરાત કરતા મોટો વિવાદ થયો હતો.

English summary
Parjanya Yajna was performed in Karamsad of Anand when there was no rain
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X