પાટીદારો સાથે વાતચીત, સરકારનો વધુ એક પ્રયાસ કે દેખાડો?
પાટીદારો સાથે વાટાઘાટો કરવા તૈયાર છે રૂપાણી સરકાર. પણ શું આ વાટાઘાટો સરકારનો એક સાચો પ્રયાસ છે કે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાનો રાજકીય દાવપેચ? જાણો આ અંગે વિગતવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તે પહેલા સરકાર તેવું ચોક્કસથી બતાવવા માંગે છે કે તેમણે પાટીદાર અનામત આંદોલનનો પ્રશ્ન હલ કરવાનો તેમના તરફથી બનતો પ્રયાસ કર્યો છે. અને કદાચ આ જ કારણે સરકારે પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓ સાથે ચર્ચાની તૈયારી બતાવી છે. જેથી કરીને પાટીદાર અનામત મામલે કોઇ યોગ્ય ઉકેલ આવી શકે. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બની રહ્યું આ પહેલા પણ આનંદીબેનના સમયે અને તે પછી રૂપાણી સરકારના વખતે પણ નીતિન પટેલની હાજરીમાં પાટીદાર આગેવાનો સાથે સરકારે ચર્ચા કરી છે. તેમની સાથે મુદ્દાઓ મૂક્યા છે અને પરિણામ શૂન્ય કરતા કંઇક વિશેષ હજી સુધી નથી આવ્યું. ત્યારે સવાલ તે ઊભા થાય છે કે શું સરકાર ખરેખરમાં ચૂંટણી પહેલા પાટીદારોને પોતાના પક્ષમાં લેવા જઇ રહી છે કે પછી ચૂંટણી પહેલા સરકાર એક દેખાડો કરી લેવા માંગે છે કે ભાઇ અમે તો પ્રયાસ કર્યો હતો? આ બન્ને સ્થિતિમાં જો કોઇનો સીધો ફાયદો થશે તો તે માત્રને માત્ર ભાજપ સરકારનો છે કેવી રીતે જાણો અહીં.

પ્રયાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જોતા જો ભાજપ પ્રયાસના નામ પર પણ જો પાટીદાર નેતાઓ જોડે બે-ચાર મીટિંગ કરી લે છે. તો થોડા સમય સુધી તે પાટીદારોને વ્યસ્ત રાખશે. વધુ એક વાર ભૂલથી માની પણ લઇએ કે સરકાર આ વાતનું નિરાકરણ લાવવા માંગે છે અને જો તે તેમાં સફળ રહી તો ચૂંટણી વખતે ભાજપને એક મુદ્દો મળી જશે જુઓ અમે પાટીદારોને મનાવી લીધા અને તેમને વોટ પણ મળી છે. જો કે આ એટલું સરળ છે નહીં પણ ધારો કે માની લઇએ તો પણ તે સરકારના ફાયદામાં જ રહેશે.

દેખાડો?
તો બીજી તરફ તેને સરકારનો દેખાડો જ માનીએ તો પણ સરકારને લાભ તો મળશે. સરકાર ચૂંટણી વખતે કહી શકશે કે અમે તો પાટીદારોને મનાવવા માટે બનતા તમામ પ્રયાસો કર્યા પણ પાટીદારો જ ના માન્યા. આમ કહીને પણ તે પોતાનો ફાયદો કરાવી લેશે.

શું છે મામલો?
જો કે નીતિત પટેલ દ્વારા ચર્ચાએ વધુ એક અવસર આપવા મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ સ્પષ્ટતા આપી છે કે સરકાર અમારી ચાર માંગો છે અને તે જો સરકાર સ્વીકારતી હોય તો ઠીક છે બાકી ખાલી ચર્ચા કરવામાં અમને કોઇ રસ નથી. આ ચાર માંગણીઓ આ મુજબ છે.
1.આર્થિક અનામત
2.શહીદ પરિવારને સરકારી નોકરી
3.પાટીદારો પર ચાલી રહેલા પડતર કેસોનો નિકાલ
4. પટેલો પર અત્યાચાર કરનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા.

લાલજી પટેલ
વધુમાં એસપીજીના લાલજી પટેલે તો ત્યાં સુધી કહ્યું છે કે સરકાર લેખિતમાં આમંત્રણ આપશે તો જ જઇશું. બીજી તરફ નીતિન પટેલે જે જાહેરાત કરી છે તેમાં તેમણે હાર્દિક પટેલનું નામ લીધા વગર ખોડલધામ અને ઊમિયા ધામ જેવા સંગઠનોની વાત ઉચ્ચારી છે. આમ જોવા જઇએ તો ચૂંટણી પહેલા ભાજપ ફરી એક વાર પાટીદારોને પોતાની સાથે રાખવાના પ્રયાસો શરૂ કર્યા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
