ગાંધીનગર આચારસંહિતા ભંગ પર નજર રાખવા નોડલ અધિકારીની નમણૂંક

ગુજરાત વિઘાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ગાંધીનગ જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગ પર એસ.એમ.એસ અને સોશ્યિલ મીડિયામાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારીનો ભંગ ન થાય અને દૂર ઉપયોગ ન થાય તેની પર નજર રાખવા માટે નોડલ અધિકાર તરીકે

ગુજરાત વિઘાનસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન ગાંધીનગ જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગ પર એસ.એમ.એસ અને સોશ્યિલ મીડિયામાં પણ આદર્શ આચારસંહિતાની અમલવારીનો ભંગ ન થાય અને દૂર ઉપયોગ ન થાય તેની પર નજર રાખવા માટે નોડલ અધિકાર તરીકે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે.

ELECTION
ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગમાં આગામી તા. ૦૫મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. ગાંધીનગર જિલ્લામાં વિઘાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ નિષ્પક્ષ, ભયમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ અનેક ટીમો કાર્યરત કરવામાં આવી છે.

હાલના વર્તમાન સમયમાં સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ ખૂબ ઝડપી પ્રચારનું માધ્યમ બની ગયા છે. વિઘાનસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૨માં સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ. માધ્યમમાં પણ આર્દશ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ગાંધીનગર જિલ્લાના નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.પટેલની નિમણુંક કરવામાં આવી છે.

સોશ્યિલ મીડિયા અને એસ.એમ.એસ. થકી આર્દશ આચારસંહિતાનો ભંગ થતો હોય તો નાગરિકો પોતાની ફરિયાદ નોડલ અધિકારીને કંટ્રોલ રૂમ ફોન નંબર- ૦૭૯ ૨૩૨ ૧૦૧૦૮ અને મોબાઇલ નંબર- ૯૯૨૪૦ ૨૪૯૯૬ પર સંપર્ક કરીને જાણ કરી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X