PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ જીત બાદ કર્યા દ્વારકાના દર્શન
ગુજરાતના નાગરિકોએ ફરીથી એક વાર સત્તાસ્થાન માટે ભાજપ પર કળશ ઢોળ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ ભાઈ મોદી જગતમંદિર દ્વારકા ખાતે પહોંચ્યા હતા.
ગુજરાતના નાગરિકોએ ફરીથી એક વાર સત્તાસ્થાન માટે ભાજપ પર કળશ ઢોળ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ ભાઈ મોદી જગતમંદિર દ્વારકા ખાતે પહોંચ્યા હતા. અને મંદિર પર ધજા ચઢાવી હતી. પ્રહલાદ ભાઈ મોદી ઢોલ નગારાના નાદ સાથે જગતમંદિરમાં ધજારોહણ માટે પ્રવેશ્યા હતા. ભાજપની જીતનો આનંદ વ્યક્ત કરતા પ્રહલાદભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની જીત થઈ છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસ મુક્ત ગુજરાત અને ભારતની જે નેમ લીધી છે તેના મિજાજરૂપે આ પરિણામો જોવા મળ્યા છે.

વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે જેમ શ્રીકૃષ્ણના માર્ગદર્શનમાં પાંડવોએ કૌરવોના ષડયંત્રોનો સામનો કર્યો હતો તેમ ભાજપે પણ કૌરવરૂપી કોંગ્રેસને પછાડી ધર્મની સ્થાપના કરશે. નોંધનીય છે કે અમદાવાદમાં મતદાન માટે આવેલા પીએમ મોદીએ તેમના જયેષ્ઠ ભાઇના પગ અડીને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારે ભાજપની જીત પછી તેમના પરિવારે તેમની જીત માટે પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી. અને ખુશી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી પણ જીત પછી જીતશે વિકાસ જીતશે ગુજરાત તેવું ટ્વિટ કરી લોકોનો આભાર માન્યો હતો.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
