For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ લીલી ઝંડી આપી તે 8 ટ્રેનમાં વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ પણ શામેલ, જાણો ખાસિયત

પીએમ મોદીએ લીલી ઝંડી આપી તે 8 ટ્રેનમાં વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ પણ શામેલ, જાણો ખાસિયત

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી સ્ટેચ્યૂ ઑફ યૂનિટી, કેવડિયાને દેશના વિવિધ ભાગને જોડવા માટે 8 ટ્રેનને લીલી ઝંડી દેખાડી છે. આ ઉપરાંત પીએમ મોદીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત ગુજરાતમાં વિવિધ રેલવે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. કેવડિયામાં જ દેશના પહેલા ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટી છે. આ ટ્રેન કેવડિયા સાથે હજરત નિજામુદ્દીન, રીવા, ચેન્નઈ, વારાણસી, દાદર, અમદાવાદ, પ્રતાપનગરને જોડશે.

PM Modi

Recommended Video

ગુજરાત : કેવડિયા બન્યું દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું, રેલવેના ઈતિહાસમાં સંભવતઃ પહેલીવાર આવું થયું જ્યારે એક સાથે દેશના વિવિધ ખુણાથી એક જ જગ્યા માટે આટલી ટ્રેનને લીલી ઝંડી દેખાડવામાં આવી હોય. કેવડિયા જગ્યા પણ એવી છે, જેની ઓળખ દેશને એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મંત્ર આપનાર સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાથી છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ રેલવે કનેક્ટિવિટીનો સૌથી મોટો ફાયદો સ્ટેચ્યૂ ઑફ યૂનિટી જોવા આવતા પર્યટકોને જ મળશે, સાથે જ આ કનેક્ટિવિટી કેવડિયાના આદિવાસી ભાઈ-બહેનોના જીવનને પણ બદલવા જઈ રહ્યો છે. આનાથી રોજગાર અને સ્વરોજગારના નવા અવસર આવશે.

કેવડિયા રેલવે સ્ટેશનની ખાસ વાતો

kevadiya

કેવડિયા રેલવે સ્ટેશન નવી સુવિધાઓથી સજ્જ હશે. પીએમઓએ જાણકારી આપતા કહ્યું કે આ રેલવે સ્ટેશનોની ઈમારતોને સ્થાનિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેશન વાળા કેવડિયા દેશનું પહેલું રેલવે સ્ટેશન હશે. આ રેલ યોજનાની સાથે જ ભારતીય રેલવેના મેપ પર વિશ્વની સૌથી વડી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યૂનિટીને પણ જગ્યા મળી જશે.

'અમારે કોવિશીલ્ડ વેક્સીન જોઈએ છે, કોવેક્સીન નહિ...', જાણો દિલ્હીના તબીબોએ આવી માંગ શા માટે કરી'અમારે કોવિશીલ્ડ વેક્સીન જોઈએ છે, કોવેક્સીન નહિ...', જાણો દિલ્હીના તબીબોએ આવી માંગ શા માટે કરી

વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચની ખાસિયત

પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે લીલી ઝંડી દેખાડી કરવામાં કરવામાં આવી રહેલ ટ્રેનોમાંથી એક અમદાવાદ અને કેવડિયા વચ્ચે જન શતાબ્દી એક્સપ્રેસ છે. આ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ હશે. જેની કેટલીક તસવીરો પીએમ મોદીએ શેર કરી છે. વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચ આઈસીએફે બનાવ્યા છે. જેમાં 180 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલવાની ક્ષમતા છે. જ્યારે વિસ્ટાડોમ ટૂરિસ્ટ કોચમાં ગ્લાસ રૂફ, વડી કાચની બારી, રોટેબલ સીટ અને ઓબ્ઝર્વેશન લૉજ છે. આ કોચ એટલા માટે બનાવવામાં આવ્યો જેથી યાત્રીઓને આસપાસના દ્રશ્યોને આનંદ લેવામાં સુવિધા મળે. આ એક કોચમાં 44 પેસેંજર સીટ છે. આ ઉપરાંત વાઈફાઈ આધારિત પેસેંજર ઈન્ફોર્મેશન સિસ્ટમ પણ છે.

English summary
PM Modi gives green signal to 8 trains including Vistadom tourist coaches, know the specialty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X