ચૂંટણીના બીજા તબક્કા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ વિવિધ બેઠકો પર કરશે પ્રચાર
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાન બાદ રાજકીય પક્ષઓ બીજા તબક્કાના યોજાનાર ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે આ પહેલા તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ માટે ખુદ પ્રધ
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાના મતદાન બાદ રાજકીય પક્ષઓ બીજા તબક્કાના યોજાનાર ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થશે આ પહેલા તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ માટે ખુદ પ્રધાનમંત્રી મેદાને છે. પ્રધાનમંત્રી અમદાવાદમાં સૌથી લાંબો 50 કિમીનો રોડ શો કર્યા બાદ આજે ફરી જંગી સભાઓને સંબોદન કરશે. આ સાથે આપ અને કોગ્રેસના નેતાઓ પણ વિવિધ બેઠકો પરચૂંટણી પ્રચાર કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝંઝાવતી ચૂંટણી પ્રાચરશે. જેમા કાંકરેજમાં વિજય સંકલ્પ સભાને 11 વાગ્યે જનસભાને સંબોધન કરશે ત્યાર બાદ પાટણ સોજીત્રા અને સાંજે અમદાવાદ ખાતે જંગી સભાને સંબધીત કરશે
કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ બીજા તબક્કાના વિવિધ બેઠકો પર ચૂટણી પ્રચાર કરશે જેમા મહેસાણાના વિજાપુર અને વડોદરાના અપ્સરામાં જાહેર સભાને સંબોધન કરશે ત્યાર બાદ અમદાવાદના ચાંદખેડામાં જાહેર સભાને સંબોધીત કરશે
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત મહેસાણામાં જાહેર સભાને સાંજે 4 વાગ્યે જાહેર સભાને સંબોધન કરશે. મોડાસા ખાતે જાહેર સભાને સંબોધન કરશે.
કેન્દ્રીય મંત્ર સ્મુતિ ઇરાની ડિસા ખાતે રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કરશે. તો બીજી તરફ કેન્દ્રી મંત્રી પરસોત્તમ રૂપાલા બાલાસિનોર, ડભોઇ, માતર, અને મહેસાણામાં જાહેર સભાને સંબોધન કરશે.