PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે વાત, CM પણ થશે શામેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે એટલે કે 3 ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે એટલે કે 3 ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પીએમ મોદી યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વાસ્તવમાં, સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિશે જાગૃતિ ફેલાવવા માટે રાજ્યમાં એક જન ભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ શામેલ થશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે માર્ચમાં મહામારીના પ્રકોપના કારણે આખા દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યુ હતુ ત્યારે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનુ એલાન કર્યુ હતુ. જે હેઠળ રાશનકાર્ડ ધારકોને એપ્રિલથી જૂન સુધી રાશન કાર્ડમાં નોંધાયેલા સભ્યોના નામના આધારે 5 કિલો અનાજ(ઘઉં/ચોખા) અને એક પરિવારને એક કિલો દાળ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. આ અનાજને રાશન કાર્ડ પર મળતા કોટાથી અલગ રાખવામાં આવ્યુ હતુ.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના(PMGKAY)એક ખાદ્ય સુરક્ષા કલ્યાણ(નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) યોજના છે. આ યોજના હેઠળ 80 કરોડ દેશવાસીઓને નવેમ્બર 2021 સુધી માટે દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવી રહ્યુ છે. જાણકારોનુ કહેવુ છે કે આ યોજના કોરોના કાળમાં આર્થિક પ્રભાવને ઘટાડવા માટે સહાયતા આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશભરમાં પરિવારોને 5 કિલો અનાજ પ્રતિ સભ્ય આપવામાં આવી રહ્યુ છે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આ યોજનાનો લાભ બધા લાભાર્થીઓને મળી રહ્યો છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
