ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા, પીએમ મોદીએ સમ્માનમાં જાહેર કરી ટપાલ ટિકિટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા થવા પર વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કર્યો.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઈકોર્ટના 61 વર્ષ પૂરા થવા પર વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ પણ હાજર રહ્યા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત હાઈકોર્ટના સમ્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી.

શું કહ્યુ પીએમ મોદીએ?
પીએમ મોદીએ કહ્યુ કે જ્યારે પણ દેશમાં મુશ્કેલ સમય આવ્યો છે ત્યારે આપણી ન્યાયપાલિકાએ બંધારણીય મૂલ્યોની રક્ષા કરી છે. ન્યાયપાલિકાના આ પગલાંથી લોકોમાં તેના પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ન્યાયપાલિકાએ હંમેશા રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખ્યા છે. વળી, પીએમ મોદીએ કહ્યુ કે અમને આપણી અદાલતો પર ગર્વ છે. ખાસ કરીને સુપ્રીમ કોર્ટ પર છે. સર્વોચ્ચ ન્યાયાલયે આખી દુનિયામાં સૌથી વધુ કેસની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી કરી છે. આ ઉપરાંત હાઈકોર્ટ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટે પણ કોરોના કાળમાં સારુ કામ કર્યુ છે.
|
ગુજરાત હાઈકોર્ટે સત્ય અને નિષ્ઠાથી કામ કર્યુ
પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યુ કે ગુજરાત હાઈકોર્ટે જે સત્ય અને નિષ્ઠાથી કામ કર્યુ છે તેનાથી ન્યાય વ્યવસ્થા અને લોકતંત્ર બંને મજબૂત બન્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં સરકાર અને ન્યાયપાલિકા બંનેની એક જ ફરજ છે કે આપણે દુનિયાની સર્વોત્તમ ન્યાય વ્યવસ્થા જાળવી રાખીએ. તેમણે કહ્યુ કે આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક વ્યક્તિને ન્યાયની ગેરેન્ટી હોય અને અંતિમ વ્યક્તિને ન્યાય મળે.
|
1960માં ગુજરાત હાઈકોર્ટની સ્થાપના
તમને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે, 1960ના રોજ થઈ હતી. એ વખતે ગુજરાત બૉમ્બેથી અલગ થઈને એક નવુ રાજ્ય બન્યુ હતુ. ગુજરાત હાઈકોર્ટ પહેલા નારોલમાં હતી ત્યારબાદ તે અમદાવાદના ઈનકમ ટેક્સ સર્કલમાં શિફ્ટ કરવામાં આવી. હવે વર્ષ 1998થી ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના સોલા કેમ્પસમાં ચાલી રહી છે.
Our judiciary has always interpreted Constitution positively & creatively to strengthen it further. Be it safeguarding the rights of people of the country or when any situation arose where national interest needed to be prioritized, judiciary has always performed its duty:PM Modi pic.twitter.com/WMqs3QTKxe
— ANI (@ANI) February 6, 2021
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
