Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દાંડીમાં ‘મીઠા સત્યાગ્રહ સ્મારક' દેશને સમર્પિત કરશે પીએમ મોદી

પીએમ મોદી પણ આજે ગુજરાતના પ્રવાસે છે જ્યાં તે દેશને રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક સમર્પિત કરશે.

આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ પ્રસંગે દેશભરમાં ઠેર ઠેર કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી પણ આજે ગુજરાતના પ્રવાસે છે જ્યાં તે દેશને રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક સમર્પિત કરશે. પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસ પર એક અન્ય કાર્યક્રમમાં સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિ પૂજન પણ કરશે.

gandhiji

રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. વળી, 80 અન્ય સત્યાગ્રહીઓના સ્ટેચ્યુ પણ બનાવવામાં આવ્યા છે જે મહાત્મા ગાંધી સાથે ઐતિહાસિક દાંડી માર્ચનો હિસ્સો રહ્યા હતા. મહાત્મા ગાંધીએ આ આંદોલન 1930માં અંગ્રેજો સામે લડાઈ લડવા માટે શરૂ કર્યુ હતુ. નવસારી જિલ્લાના દાંડી સ્થિત આ સ્મારકમાં ઐતિહાસિક 1930ની મીઠા યાત્રાની વિવિધ ઘટનાઓ અને કહાનીઓને ચિત્રિત કરનારા 24 ભિતચિત્રો પણ છે. પ્રધાનમંત્રી સ્મારકનું ઉદઘાટન કર્યા બાદ એક જનસભાને સંબોધિત કરશે.

ગુજરાતના પ્રવાસ પર પીએમ મોદી દાંડી કાર્યક્રમમાં શામેલ થતા પહેલા સુરત જશે જ્યાં તે એક જનસભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ મોદી સુરતના ઈનડોર સ્ટોડિયમમાં યુવાનોને સંબોધિત કરશે. પીએમ મોદી આજે જ શ્રીમતી રસીલાબેન સેવંતીલાલ વીનસ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે અને ત્યાંની સુવિધાઓ પણ જોશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X