Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એનસીસીના નવ કેડેટ્સને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા 'ગવર્નર મેડલ' અર્પણ

સફળતા માટે જરૂરી હોય તો તે છે પરિશ્રમ, પરિશ્રમ અને માત્ર પરિશ્રમ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતુ. સાથે એનસીસી કેડેટ્સને રાજ્યપાલ એવોર્ડ અપર્પણ કર્યો હતો.

ગણતંત્ર દિવસ શિબિર-2023 માં ભાગ લેનાર એન.સી.સી. ગુજરાત, દાદરા-નગર હવેલી, દમણ અને દીવના કેડેટ્સના સન્માનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં 'એટ હોમ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રશિક્ષણ વર્ષ 2022-23 માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 9 કેડેટ્સનું તેમણે 'ગવર્નર મેડલ' આપીને સન્માન કર્યું હતું. આચાર્ય દેવવ્રતજીએ એન.સી.સી. કેડેટ્સને સંબોધતાં કહ્યું હતું કે, પરિશ્રમનો કોઈ પર્યાય નથી. ભાગ્ય પણ કર્મનું જ ફળ છે. જીવનમાં સફળતા માટે જરૂરી હોય તો તે છે, પરિશ્રમ.. પરિશ્રમ..અને માત્ર પરિશ્રમ.

ACHARYA DEVVRAT

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, નિરંતર ગતિ-પ્રગતિ એ જ યુવાનની સાચી ઓળખ છે. એન.સી.સી.ના માધ્યમથી યુવાનો એકતા,અનુશાસન અને રાષ્ટ્ર પ્રતિ સમર્પણભાવથી પ્રગતિ કરી રહ્યા છે. ગણતંત્ર દિવસની પરેડ અને શિબિરમાં ભાગ લઈ આવેલા એન.સી.સી. કેડેટ્સને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે, ગણતંત્ર દિવસ શિબિર અને પરેડ માટે પસંદ થવું એ પણ પરિશ્રમનું જ પરિણામ છે. આ શિબિર રાષ્ટ્રીય એકતાનો ભાવ વધુ સુદ્રઢ કરે છે. ભિન્ન-ભિન્ન પ્રાંતમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે રહેવાથી સંસ્કૃતિ, સભ્યતા અને વ્યવહારના આદાન-પ્રદાનથી ઘણું શીખવા મળે છે. એન.સી.સી.ના યુવાનોને તેમણે સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પણ ભાવથી કામ કરતાં કરતાં પ્રગતિ અને ઉન્નતી કરવા શુભકામનાઓ પાઠવી હતી.

એન.સી.સી.ના 9 કેડેટ્સ; શ્રદ્ધા જાદવ, કેડેટ ઓફિસર અજયરાજસિંહ ઝાલા, કેડેટ કાંક્ષિત ભટ્ટી, કેડેટ સિનિયર અન્ડર ઑફિસર ભૂમિકા જોશી, કેડેટ કેપ્ટન રામ સ્વામી, કેડેટ જિયા ત્રિવેદી, અન્ડર ઓફિસર મૃણમયી વડ્જૈ, લિડિંગ કેડેટ સેજલ યાદવ અને કેડેટ સાર્જન્ટ ખેવના પરમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 'ગવર્નર મેડલ' પુરસ્કારથી પુરસ્કૃત કર્યા હતા. તેમણે આ અવસરે એન.સી.સી.ની પત્રિકા 'ધી કેડેટ ગુજરાત 2022' નું વિમોચન કર્યું હતું. વર્ષ 2022-23માં ગુજરાત એન.સી.સી. માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર એન.સી.સી. ગ્રુપ હેડ ક્વાર્ટર, રાજકોટને તેમણે ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપનો ફ્લેગ અર્પણ કર્યો હતો.

સમારોહના આરંભે એન.સી.સી.ના અતિરિક્ત મહાનિદેશક અરવિંદ કપૂરે સ્વાગત ઉદ્બોધનમાં કહ્યું હતું કે, એન.સી.સી.નો કેડેટ એકતા અને અનુશાસનનો એમ્બેસેડર છે. કઠોર તાલીમથી તેઓ શિસ્તબધ્ધ નાગરિક બને છે. તેમણે એન.સી.સી. કેડેટ્સ દ્વારા નિયમિત રીતે નિભાવાતી અનેક સામાજિક જવાબદારીઓની વિગતવાર રૂપરેખા આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X