પીએમ મોદીએ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું, તસવીરોમાં જુઓ
પીએમ મોદીએ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું, તસવીરોમાં જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય યાત્રા પર આવ્યા છે. સૌથી પહેલાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ઘરે પહોંચી તેમને શ્રદ્ધાંજલિ આપી. જે બાદ તેઓ અમદાવાદ પરત ચાલ્યા ગયા. આ દરમ્યાન તેમણે કેવડિયા અને અમદાવાદ વચ્ચે સમુદ્રી વિમાન સેવાની શરૂઆત કરી. સાથે જ આરોગ્ય વનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા.

કેવડિયામાં વન બની રહ્યું છે
જણાવી દઈએ કે આરોગ્ય વન એક પાર્ક છે, જે નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલું છે. અહીં તમને સેંકડો ઔષધીય છોડવા અને જડી બૂટિઓ મળી જશે.

માત્ર ઔષધીય છોડવા લાગ્યા
આ વનમાં જે છોડવા છે, તેમાં મોટાભાગના ઔષધીય ગુણ વાળા છે, જે કારણે તેનું નામ આરોગ્ય વન રાખવામાં આવ્યું છે. આરોગ્યનો અર્થ 'રોગ વિના' થાય છે.

17 એકરમાં ફેલાયેલું છે
ગુજરાત સરકાર મુજબ આ પાર્ક 17 એકરમાં ફેલાયેલું છે, જ્યાં લોકોને સેંકડો ઔષધીય અને જડી બૂટીઓ વાળા છોડવા મળી જશે.

પીએમ મોદી વનની સફરે
આરોગ્ય વનમાં પીએમ મોદીએ સીએમ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે એક સેલ્ફી પોઈન્ટનું ઉદ્ઘાટન કર્યું. જે બાદ તેઓ વનમાં બેસીને આ ક્ષણનો આનંદ ઉઠાવી રહ્યા હતા.

પારંપરિક રીતે કેન્દ્રિત છે વન
જ્યારે વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરી લખ્યું કે આરોગ્ય વન ભારતની સમૃદ્ધ પુષ્પ પરંપરાઓ, વિવિધ છોડવાની સાથોસાથ કલ્યાણ અને સારા સ્વાસ્થ્યના પારંપરિક રીતે કેન્દ્રિત છે.

5 લાખ ઔષધિઓ
સીએમ વિજય રૂપાણી મુજબ આ વનમાં 5 લાખથી વધુ ઔષધિઓ છે, જે ભારતી પરંપરાને દર્શાવે છે.

જંગલ સફારીનું પણ ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય વનની સાથે પીએમ મોદીએ જંગલ સફારીનું પણ ઉદ્ઘાટન કર્યું, જે સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પાસે આવેલ છે.

એકતા મૉલનું ઉદ્ઘાટન
પીએમ મોદીએ એકતા મૉલનું ઉદ્ઘાટન કર્યું, જ્યાં દેશના વિવિધ ભાગો અને સંસ્કૃતિ સાથે જોડાયેલ હેન્ડલૂમનો સામાન મળી શકશે.












Click it and Unblock the Notifications
