PSI ભરતીનુ પરિણામ રીવાઈઝ કરવા ઉમેદવારોની માંગ, પોલિસે કરી અટકાયત
સત્યાગ્રહ છાવણી ખાતે બિન અનામત વર્ગના ઉમેદવાર દ્વારા પી.એસ.આઇ ભરતીનું પરિણામ રિવાઇઝ કરવાની માંગ કરવામાં આવી.
ગાંધીનગરઃ સત્યાગ્રહ છાવણી ખાતે બિન અનામત વર્ગના ઉમેદવારો પી.એસ.આઇ ભરતીનું પરિણામ રિવાઇઝ કરવાની માગણી સાથે ધરણા કરવા આવી પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા 40 જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. ઉમેદવારો દ્વારા કેટેગરી મુજબ ત્રણ ગણા ઉમેદવારોની પાસ કરવાની માગણી કરવામાં આવી રહી છે.
પીએસઆઇની ભરતી ના ઉમેદવારોનું કહેવું હતું કે બીજા 2021 ની ભરતીમાં બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન ઉલ્લંઘન કરવામાં આવ્યું છે નોટિફિકેશન મુજબ દરેક કેટેગરી વાઇઝ ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવનાર હતા પરંતુ પરીક્ષાના પરિણામમાં સંગ્રામ અને પાસ કરવામાં આવ્યા નથી.
જી.પી.એસ.સી ની પરીક્ષા માં વર્ગ એક બે અને ત્રણ ની પરીક્ષામાં ચીટીંગ રિવાઇઝ ત્રણ ગણા ઉમેદવારોને બેસવા દેવામાં આવે છે. આ પરિણામથી પાસ થયેલા ઉમેદવારોને પ્રિલીમ અને મુખ્ય પરીક્ષામાં બે વાર બેસવાની તક મળે છે. જે નિયમથી વિરુદ્ધ છે. આમ કરવાથી અમારા જેવા મુખ્ય પરીક્ષા આપવા માટે લાયક ઉમેદવારોને અન્યાય થાય છે. એમ ઉમેદવારોએ જણાવ્યું હતું.