Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં પ્રવેશ

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે એટલે કે 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે. જ્યાં ચાર દિવસમાં સાત જિલ્લામાં 400 કિલોમીટરનું અંતર કાપવાની યોજના છે.

અહેવાલો અનુસાર, ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસના ત્રણથી વધુ ધારાસભ્યો અને અન્ય નેતાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ દાવો કરે છે કે ભાજપ ન્યાય યાત્રા પરથી ધ્યાન હટાવવા માટે રાજીનામાનું કાવતરું ઘડી રહ્યું છે.

rahul gandhi

તમને જણાવી દઈએ કે મણિપુરથી મુંબઈ સુધીની 6,700 કિમી લાંબી ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્ર પહોંચતા પહેલા ગુજરાતમાં ચાર દિવસમાં ગુજરાતમાં 400 કિમીથી વધુનું અંતર કાપશે. કોંગ્રેસના એક અધિકારીએ જણાવ્યું હતું કે યાત્રા 7 માર્ચે બપોરે 3 વાગ્યાની આસપાસ દાહોદ જિલ્લાના ઝાલોદમાં પ્રવેશ કરશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 'રાહુલ ગાંધી ઝાલોદમાં કંબોઇ ધામ ખાતેના તેમના સ્મારક પર સ્વાતંત્ર્ય સંગ્રામના આદિવાસી નાયક ગોવિંદ ગુરુને શ્રદ્ધાંજલિ આપીને ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. આ યાત્રા 10 માર્ચે મહારાષ્ટ્રમાં પ્રવેશતા પહેલા ગુજરાતના સાત જિલ્લાઓમાંથી પસાર થશે જેમાં મોટી આદિવાસી વસ્તી છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, સુરત અને નવસારીનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી છ જાહેર સભાઓ અને 27 શેરી સભાઓને સંબોધશે અને સમર્થકો 70 થી વધુ સ્થળોએ તેમનું સ્વાગત કરશે.'

ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીમાં ઘણા મંદિરોની મુલાકાત લેશે, જેમાં પંચમહાલ જિલ્લાના પાવાગઢ મંદિર અને રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી 8 માર્ચે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા પણ કરશે. ગુજરાતમાં અંતિમ દિવસે રાહુલ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા બારડોલીમાં સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ કોંગ્રેસ અને વિરોધ પક્ષોના નેતાઓને લોભ અને ડર બતાવી રહી છે. ભાજપે સત્તા જાળવી રાખવા માટે તમામ નીતિઓ અને સિદ્ધાંતોને બાજુ પર રાખ્યા છે.

વળી, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે ભાજપે અન્ય પક્ષોના નેતાઓને કેમ લેવા પડી રહ્યા છે. એક તરફ ભાજપ જીતના દાવા કરે છે અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓને સામેલ કરીને તેમને પદ અને ટિકિટ આપી રહી છે.

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય એકમે મંગળવારે કહ્યું કે તેમણે યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના આમંત્રણને સ્વીકાર્યું છે. આપ પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી 7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X