રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, 2200 કિલો અખાદ્ય કેરી
રાજકોટ આરોગ્ય વિભાગની ટીમ એક પછી એક દરોડા પાડીને અખાદ્ય કેરીઓનો કરી રહી છે નાશ. વિગતવાર વાંચો અહીં.
રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી શહેરભરમાં દરોડા પાડી અખાદ્ય વસ્તુઓનો નાશ કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેરના આનંદ બંગલા ચોક વિસ્તારમાં દરોડા પાડ્યા હતા કેરીના વેપારીઓના ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ થઇ ગયો હતો. આરોગ્યની ટીમે ઈથીલીનથી કેરી પકવતા વેપારીઓના તપાસ હાથધરી હતી .ઈથીલીનથી પકવેલી કેરીના જથ્થાનો નાશ કર્યો હતો.

આરોગ્યની ટીમે આનંદ ચોક વિસ્તારમાં ઈથીલીનથી કેરી પકવતા વેપારીઓના ત્યાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે ૨૨૦૦ કિલો અખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો હતો. અને વેપારીને રૂ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આરોગ્ય ટીમે ૧ લીટર ઇથીલીન અને ૧ કિલો કાર્બાઈડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. નોંધનીય છે કે આરોગ્ય વિભાગની આ સતર્કતાના કારણે અનેક લોકો આવી અખાદ્ય કેરી ખાવાથી બચ્યા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
