હજારો જવાનોના જીવ બચવાનારા રણછોડ પગીનું નિધન

ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ અને૧૯૭૧ના યુદ્ધ સમયે રણછોડભાઇ સવાભાઇ રબારી ભારતીય લશ્કરને બનાસકાંઠાની સરહદથી છેક પાકિસ્તાનના નગરપારકર સુધી દોરી ગયા હતા અને ૧૦ હજાર જવાનોની બટાલિયનને બચાવી લીધી હતી. હંમેશા ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે બે-ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશુંજ નહોતુ. તેમને સરકાર દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. નોંધનીય છે કે, સ્વ. માણેક શાહ પણ રણછોડ પગીને ભૂલી શક્યા નહોતા. ૧૯૭૧ના યુદ્ધ બાદ રણછોડ પગી નગરપારકરમાં હતા ત્યારે જનરલ માણેકશાએ રણછોડ પગીને ડિનર લેવાનું આમંત્રણ આપ્યું હતું.
પાકિસ્તાનના પેથાપૂર ગથડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઇ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેસડા ગામમાં આવ્યા બાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા. ભારત-પાકના ભાગલા દરમિયાન એ ૩૧ વર્ષ, ૨ માસ અને ૨૬ દિવસ દેશની સેવા કરવા બદલ સરકાર તરફથી સમર સેવા સ્ટાર-મેડલ ૧૯૬૫, સંગ્રામ મેડલ અને પોલીસ મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ ઇન્ડિયન પોલીસ એનાયત થયા હતા અને તા. ૩૧-૭-૯૨ ના રોજ સ્વૈરિછક નિવૃત થયા હતા.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત





Click it and Unblock the Notifications
