હજારો જવાનોના જીવ બચવાનારા રણછોડ પગીનું નિધન

ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ અને૧૯૭૧ના યુદ્ધ સમયે રણછોડભાઇ સવાભાઇ રબારી ભારતીય લશ્કરને બનાસકાંઠાની સરહદથી છેક પાકિસ્તાનના નગરપારકર સુધી દોરી ગયા હતા અને ૧૦ હજાર જવાનોની બટાલિયનને બચાવી લીધી હતી. હંમેશા ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે બે-ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશુંજ નહોતુ. તેમને સરકાર દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. નોંધનીય છે કે, સ્વ. માણેક શાહ પણ રણછોડ પગીને ભૂલી શક્યા નહોતા. ૧૯૭૧ના યુદ્ધ બાદ રણછોડ પગી નગરપારકરમાં હતા ત્યારે જનરલ માણેકશાએ રણછોડ પગીને ડિનર લેવાનું આમંત્રણ આપ્યું હતું.
પાકિસ્તાનના પેથાપૂર ગથડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઇ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેસડા ગામમાં આવ્યા બાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા. ભારત-પાકના ભાગલા દરમિયાન એ ૩૧ વર્ષ, ૨ માસ અને ૨૬ દિવસ દેશની સેવા કરવા બદલ સરકાર તરફથી સમર સેવા સ્ટાર-મેડલ ૧૯૬૫, સંગ્રામ મેડલ અને પોલીસ મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ ઇન્ડિયન પોલીસ એનાયત થયા હતા અને તા. ૩૧-૭-૯૨ ના રોજ સ્વૈરિછક નિવૃત થયા હતા.












Click it and Unblock the Notifications
