Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હજારો જવાનોના જીવ બચવાનારા રણછોડ પગીનું નિધન

ranchhod-pagi
ગાંઘીનગર, 18 જાન્યુઆરીઃ 1965 અને 1971માં થયેલા ભારત-પાક યુદ્ધ વખતે આપણા 10 હજાર જવાનોની બટાલિયનને બચાવનારા બનાસકાંઠાના સરહદી વિસ્તારે આવેલાં લીંબાળા ગામના રણછોડ પગીનું ગત રાત્રે નિધન થયું છે. ગામના સરપંચ અનીલ રબારીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની ઉમર 120 વર્ષની હતી અને તેઓ ઘણા સમયથી બીમાર હતા અને મોડી રાત્રે અચાનક તેમનું નિધન થયું હતું. રણછોડ પગીના નિધનથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ અને૧૯૭૧ના યુદ્ધ સમયે રણછોડભાઇ સવાભાઇ રબારી ભારતીય લશ્કરને બનાસકાંઠાની સરહદથી છેક પાકિસ્તાનના નગરપારકર સુધી દોરી ગયા હતા અને ૧૦ હજાર જવાનોની બટાલિયનને બચાવી લીધી હતી. હંમેશા ખુમારીભર્યું જીવન જીવવા માટે જાણીતા રણછોડ પગી પાસે બે-ત્રણ મેડલ અને કાચી માટીના ખોરડા સિવાય કશુંજ નહોતુ. તેમને સરકાર દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. નોંધનીય છે કે, સ્વ. માણેક શાહ પણ રણછોડ પગીને ભૂલી શક્યા નહોતા. ૧૯૭૧ના યુદ્ધ બાદ રણછોડ પગી નગરપારકરમાં હતા ત્યારે જનરલ માણેકશાએ રણછોડ પગીને ડિનર લેવાનું આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનના પેથાપૂર ગથડો ગામમાં જમીન અને પશુ ધરાવતા રણછોડભાઇ રબારી પાકિસ્તાની સૈનિકોના ત્રાસથી વાવના રાધાનેસડા ગામમાં આવ્યા બાદ મોસાળ લિંબાળા ગામમાં સ્થાયી થયા હતા. ભારત-પાકના ભાગલા દરમિયાન એ ૩૧ વર્ષ, ૨ માસ અને ૨૬ દિવસ દેશની સેવા કરવા બદલ સરકાર તરફથી સમર સેવા સ્ટાર-મેડલ ૧૯૬૫, સંગ્રામ મેડલ અને પોલીસ મેડલ ફોર મેરીટોરિયસ સર્વિસ ઇન્ડિયન પોલીસ એનાયત થયા હતા અને તા. ૩૧-૭-૯૨ ના રોજ સ્વૈરિછક નિવૃત થયા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X