Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસની કબર પર આમ આદમી પાર્ટીનો ઉદય? જાણો ગુજરાતના પરિણામો શું ઈશારા કરે છે?

ક્યારેક આંદોલન કરનારા અને લોકપાલની માંગ ન સંતોષાતા પાર્ટી બનાવીને દિલ્હીમાં છવાઈ જનારા કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે.

ક્યારેક આંદોલન કરનારા અને લોકપાલની માંગ ન સંતોષાતા પાર્ટી બનાવીને દિલ્હીમાં છવાઈ જનારા કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. કોંગ્રેસના ઘમંડનું પરિણામ હવે એ આવ્યુ છે કે કેજરીવાલ કોંગ્રેસને દફન કરીને જ નિરાત લેશે. ગુજરાતમાં હાલમાં આવેલા ચૂંટણીના પરિણામો પણ કંઈક આવા જ ઈશારાઓ કરે છે. ક્યારેક રાજનીતિમાં આવવા માટે ચેલેન્જ કરનારી કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી મૃત્યુઘંટ સમાન સાબિત થઈ રહી છે. પહેલા દિલ્હી ત્યારબાદ પંજાબ અને હવે ગુજરાતમાં જે થઈ રહ્યું છે તે આ વાતની સાક્ષી પુરે છે.

delhi

હવે આમ આદમી પાર્ટી સ્થાનિક પાર્ટીમાંથી બહાર આવી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. દસ વર્ષની રાજનીતિની આ સફરમાં સૌથી વધુ નુકસાન આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કર્યુ છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસની જગ્યાએ મૂળ જમાવી લીધા છે. એ કહેવુ ખોટુ નહીં હોય કે કોંગ્રેસની કબર પર આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 250માંથી 134 બેઠકો જીતી છે. 15 વર્ષથી દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીમાં માત્ર 104 વોર્ડ જીતી શકી છે. અહીં વોટ શેરમાં 2017ની ચૂંટણીની સરખામણીમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર વધ્યો છે એટલું જ નહીં, પરંતુ ભાજપનો વોટ શેર પણ વધ્યો છે.

2017 મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં બીજેપીને 36.08 ટકા વોટ મળ્યા હતા. આ વખતે તેને 39.09 ટકા વોટ મળ્યા છે. અહીં બીજેપીનો વોટ શેર 3 ટકા વધ્યો છે. બીજી તરફ છેલ્લી મ્યુનિસિપલ ચૂંટણીઓની સરખામણીમાં આમ આદમી પાર્ટીના વોટ શેરમાં લગભગ 15.82 ટકાનો ઉછાળો આવ્યો છે. 2017માં આમ આદમી પાર્ટીને 26.23 ટકા વોટ મળ્યા હતા, જ્યારે આ વખતે તેને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 42.05 ટકા વોટ મળ્યા છે. જો આ વખતે કોંગ્રેસના વોટની વાત કરીએ તો 2017ના 21.09 ટકા વોટની સરખામણીએ તેને 11.68 ટકા વોટ મળ્યા છે અને 9.41 ટકા વોટનો જંગી ઘટાડો થયો છે. આ સાથે અપક્ષ અને અન્ય ઉમેદવારોના વોટ શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. કોંગ્રેસ અને અન્ય ઉમેદવારોના મતો ઘટ્યા છે અને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ ગયા છે.

આ પરિણામો બરાબર એવા જ છે જે દિલ્હી વિધાનસભા વખતે હતા. 2020ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 53.57 ટકા વોટ મળ્યા હતા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 38.51 ટકા વોટ મળ્યા હતા. સ્વાભાવિક રીતે જ બંને પક્ષોમાં મતોનો આ મોટો તફાવત સીટોનો તફાવત પણ બની ગયો હતો. ભાજપને માત્ર 8 બેઠકો મળી હતી જ્યારે આમ આદમી પાર્ટીને 62 બેઠકો મળી હતી. 2020માં જ્યાં આમ આદમી પાર્ટીના વોટ શેરમાં થોડો ઘટાડો થયો અને ભાજપનો વોટ શેર 6.21 ટકા વધ્યો હતો.

2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કુલ મતના માત્ર 4.26 ટકા મત મળ્યા હતા. 2013થી દિલ્હીમાં કોંગ્રેસ સતત નીચે જઈ રહી છે અને તેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થઈ રહ્યો છે. બીજેપીનો જનાધાર પણ વખતે થોડો-થોડો વધી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ એટલી ઝડપથી તૂટી રહી છે કે તેનો વોટ શેર વધ્યા પછી પણ ભાજપ દિલ્હીમાં કેજરીવાલને ટક્કર આપી શકી નથી. દિલ્હીમાં કોંગ્રેસનું પતન એ આમ આદમી પાર્ટીની સફળતાનું સૌથી મોટું કારણ છે.

પંજાબમાં પણ આ જ સ્થિતી છે. અહીં કોંગ્રેસને ખરાબ રીતે હરાવીને હવે આમ આદમી પાર્ટી સત્તામાં છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 42.01 ટકા વોટ મળ્યા હતા, જે 2017માં 23.7 ટકાના તેના વોટ શેરથી લગભગ બમણા હતા. આમ આદમી પાર્ટીને જબરદસ્ત ફાયદો મળ્યો અને પંજાબની 117 સીટોમાંથી 92 સીટો જીતી. 2017માં 77 બેઠકો જીતનાર કોંગ્રેસને 38.5 ટકાની સામે માત્ર 22.97 ટકા વોટ મળ્યા હતા. આની અસર એ થઈ કે પંજાબમાં કોંગ્રેસનું પતન થયું અને 18 બેઠકો થઈ ગઈ. અહીં શિરોમણી અકાલી દળના સહયોગી ભાજપનો આ રાજ્યમાં અગાઉ પણ કોઈ ખાસ દરજ્જો નહોતો. આ વખતે તેમણે એકલા હાથે ચૂંટણી લડી હતી, તેમ છતાં 2017ની સરખામણીમાં તેમના મતોમાં એક ટકાનો વધારો થયો છે.

હવે ગુજરાતમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49.04 ટકા વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 41.44 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસે રાજ્યમાં 77 બેઠકો જીતીને ભાજપને ટક્કર આપી હતી. પરંતુ આ વખતે 2022માં જ્યાં બીજેપીના વોટમાં ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે, ત્યાં કોંગ્રેસના વોટ 22 ટકાથી વધુ ઘટી રહ્યા છે. ચૂંટણીના અંતિમ પરિણામો આવતાં કોંગ્રેસના વોટ શેરમાં થોડો સુધારો થઈ શકે છે, પરંતુ તે છેલ્લી વખતથી પોતાનો વોટ શેર જાળવી શકશે નહીં.

હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસ ત્યાં ફાઈટમાં છે અને તેથી આમ આદમી પાર્ટી અહીં પગ જમાવી શકી નથી. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે.

હવે સ્પષ્ટ છે કે આમ આદમી પાર્ટીનો ઉદય કોંગ્રેસના ભોગે થઈ રહ્યો છે. જ્યાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે ત્યાં આમ આદમી પાર્ટી એક રાજકીય બળ તરીકે ઉભરી રહી છે. આમ આદમી પાર્ટીની રચના પણ કોંગ્રેસના વિરોધમાં જ થઈ હતી. હવે આ સ્થિતિમાં તે કોંગ્રેસનો વિકલ્પ બની રહી છે.

અંદરના ઝઘડા અને ખોટી રણનીતિને કારણે દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ કબરમાં ફેરવાઈ રહી છે. તેની કબર પર ઉભરી રહેલી અને વિકાસશીલ નવી પાર્ટી ભવિષ્યમાં કોંગ્રેસનું સ્થાન લઈ શકે છે. હાલમાં દસ વર્ષમાં આમ આદમી પાર્ટીના વિસ્તરણથી પણ એવા જ સંકેતો મળી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X