Sardar Sarovar dam : નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા, 27 ગામોને એલર્ટ કરાયા
Sardar Sarovar dam : આ સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે આ નિર્ણય લેવાયો છે.
હાલમાં ડેમની સપાટી 135.93 મીટર પર પહોંચી ગઈ છે, જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરની અત્યંત નજીક છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 40 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ડેમ 90 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે અને ઉપરવાસમાંથી 5,30,291 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે ડેમના 23 ગેટ 2.50 મીટર સુધી ખોલીને નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કિનારે આવેલા કુલ 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.
વરસાદ અને પાણીની આવકને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
