ગુજરાતમાં સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ 7 જૂનથી ફરીથી શરૂ, યુનિવર્સિટીનુ એકેડેમિક કેલેન્ડર થયુ જાહેર
ગુજરાત સરકારે 7 જૂનથી ફરીથી એક વાર સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદઃ કોરોનાના કેસ હવે સતત ઘટી રહ્યા છે અને એવામાં ગુજરાત સરકારે પ્રતિબંધોમાં છૂટ આપવાની શરૂ કરી દીધી છે. સરકારે 7 જૂનથી ફરીથી એક વાર સ્કૂલ-કૉલેજોનો ઑનલાઈન અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. સરકારી યુનિવર્સિટીઝ માટે જાહેર શૈક્ષણિક કેલેન્ડરના જણાવ્યા મુજબ બધી સ્કૂલો ઉપરાંત UG સેમિસ્ટર-3 અને PG સેમિસ્ટર-3 માટે 7 જૂનથી ઑનલાઈન અભ્યાસ શરૂ થશે.

ગુજરાત શિક્ષણ વિભાગના શૈક્ષણિક કેલેન્ડર અનુસાર પહેલા સેમિસ્ટરની તારીખનુ એલાન પણ જલ્દી કરવામાં આવશે. જો કે વિદ્યાર્થીઓનો અભ્યાસ હાલમાં ઘરે બેસીને જ થશે. કોરોનાના ઘટતા કેસો વચ્ચે ગુજરાત સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. સરકારે હવે ખાનગી-સરકારી બધા કાર્યાલયોમાં 100 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની અનુમતિ આપી દીધી છે. આ આદેશ પણ 7 જૂનથી પ્રભાવી થશે. જનસંપર્ક તેમજ સૂચના વિભાગે આની માહિતી આપી.
સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી
આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્દેશ જાહેર કરીને કહ્યુ હતુ કે હવે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સલુન સહિત બધા વેપાર-ધંધામાં છૂટ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે રાજ્યમાં રેસ્ટોરાં રાતે 10 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકશે. કોરોના કેસ ઘટતા આ રાહત આપવામાં આવી. જો કે બે-અઢી મહિના પહેલા નવા દર્દી 14000થી ઉપર પહોંચી ગયા હતા. પરંતુ હવે રોજના 1600થી ઓછા આવી રહ્યા છે. જો કે નાઈટ કર્ફ્યુમાં કોઈ ઢીલ આપવામાં આવી નથી.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું?








Click it and Unblock the Notifications
