Morbi bridge Collapsed : શંકરસિંહ વાઘેલાએ લીધી ઇજાગ્રસ્તોની મુલાકાત
મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટી ગયો હતો. આ દુર્ઘટનાના એક દિવસ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મોરબી પહોંચ્યા હતા.
મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટી ગયો હતો. આ દુર્ઘટનાના એક દિવસ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મોરબી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તુટી ગયો હતો. ઝૂલતો પુલ ધરાશાયી થયો ત્યારે 400 થી વધુ લોકો પુલ પર હતા. પુલ તુટવાને કારણે લોકો મચ્છુ નદીમાં પડી ગયા હતા.
મોરબી ખાતે ઘટનાસ્થળે સમીક્ષા કર્યા બાદ
— Shankersinh Vaghela (@ShankersinhBapu) October 31, 2022
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી તેમજ તેમને મળી રહેલ સારવારની વિગતો જાણી અને ઘાયલોના ખબરઅંતર પૂછ્યા. pic.twitter.com/bZ1BRUDa4V
આ ઘટનામાં 141 લોકોના મોત થયાના અહેવાલ છે. આ સાથે 177 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 19 લોકો હાલ સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ બચાવ કાર્યમાં જેડાયેલા છે.
મોરબીની હોસ્પિટલમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા પોહચ્યાં... pic.twitter.com/SwWj2wnnz7
— Hardev Rathod (@hardevrr) October 31, 2022
આ મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કર્યું હતું કે, મોરબી ખાતે ઘટનાસ્થળે સમીક્ષા કર્યા બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી તેમજ તેમને મળી રહેલ સારવારની વિગતો જાણી અને ઘાયલોના ખબરઅંતર પૂછ્યા.