સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કેશુભાઇ પટેલની એક વર્ષ સુધી મુ્દ્દત લંબાવાઇ
નવી દિલ્હી/વેરાવળ, 21 ડિસેમ્બર: ગુજરાતના પ્રસિધ્ધ સોમનાથ મંદિરના ટ્રસ્ટી મંડળની એક બેઠક શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન દિલ્હી ખાતે મળી ગઇ. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એલ.કે. અડવાણી, જે.ડી. પરમાર, હર્ષવર્ધન નિઓટીયા, ચેરમેન કેશુભાઇ પટેલ, સેક્રેટરી લહેરી હાજર રહ્યા હતાં.

અત્રે નોંધનીય છે કે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેતાના નિધનથી ખાલી પડેલી જગ્યા ભરવા અંગે પણ વિચાર કરાયો અને તે અંગેની વરણી માટે ટ્રસ્ટની હવે પછીની બેઠક આગામી માર્ચ મહિનામાં મળશે. જેમાં નવા ટ્રસ્ટી અંગે ચર્ચા કરવામાં આવશે અને આખીરી નિર્ણય લેવામાં આવશે, આ અંગેની જાણકારી સોમનાથ ટ્રસ્ટના પીઆરઓ કિશોરભાઇ આહીરે આપી હતી.













Click it and Unblock the Notifications
