Cyclone Vayu: ગુજરાતમાં ફ્લાઈટ, બસ અને ટ્રેન સેવા પણ બંધ
ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ‘વાયુ' તોફાનની જબરદસ્ત અસર દેખાશે જેને જોતા પશ્ચિમ રેલવેએ પણ સાવચેતીના પગલા લીધા છે.
સાઈક્લોન 'વાયુ' તોફાનની આશંકાને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રાખી છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 'વાયુ' તોફાનની જબરદસ્ત અસર દેખાશે જેને જોતા હવે પશ્ચિમ રેલવેએ પણ સાવચેતીના પગલા લીધા છે. રેલવેએ ઘણી ટ્રેનોનું પરિવહન આ વિસ્તારમાં બંધ કરી દીધુ છે. ઘણી ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી પસાર થતી અમુક ટ્રેનોને રદ્દ કરી દીધી છે. ટ્રેનની સાથે સાથે ફ્લાઈટ સેવા પર પણ અસર થઈ છે. વળી, આ વિસ્તારોમાં બસ સેવા બંધ કરી દેવામાં આવી છે.

રેલવેએ ચક્રવાત 'વાયુ'ને જોતા આ વિસ્તારોમાંથી પસાર થતી ટ્રેનોને કેન્સલ કરવા કે પછી તેમની યાત્રા વચમાં જ અટકાવી દેવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેએ બુલેટિન જાહેર કરીને કહ્યુ કે વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ અને ગાંધીધામ સ્ટેશન સુધી જતી બધી પેસેન્જર અને મેલ ટ્રેનો બુધવારથી શુક્રવાર સુધી રદ કરી દેવામાં આવી છે.
રેલવેએ કહ્યુ છે કે ગાંધીધામ, ભાવનગર, પોરબંદર, વેરાવળ અને ઓખાથી વિશેષ ટ્રેન ચલાવશે જેનાથી આ વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય. વળી, રેલવેએ વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી છે જેથી ઈમરજન્સીની સ્થિતિમાં તેને પ્રભાવિત વિસ્તારોમાં મોકલીને લોકોને ત્યાંથી સુરક્ષિત સ્થળો પર મોકલી શકાય. વળી, તોફાન 'વાયુ' થી સંભવિત નુકશાનને જોતા પાંચ એરપોર્ટ પર વિમાન સેવા પણ બુધવાર રાતથી ગુરુવાર અડધી રાત સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે. પોરબંદર, દીવ, ભાવનગર, કેશોદ અને કંડલાથી વિમાનોની પરિવહન બંધ કરી દેવામાં આવ્યુ છે.
Western Railway: In addition to the earlier 15 trains, 25 more mainline trains have been cancelled, while in addition to the earlier 16 trains, 12 other mainline trains will be short terminated with partial cancellation as a precautionary measure in the #VayuCyclone prone areas. https://t.co/sj54W0Sz7P
— ANI (@ANI) 12 June 2019
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
