પોલીસ કર્મચારીઓ માટે રાજ્ય સરકારે 550 કરોડનું બજેટ ફાળવ્યુ
રજ્ય સરકાર દ્વારા પોલીસ કર્માચારીઓની માગંણીઓને લઇને મહત્વની જાહેરાત કરી છે. પોલીસ કર્મચારીઓની પે ગ્રેડમાં વધારો કરવાને લઇને માંગણી હતી. જેને રાજ્ય સરકારે માન્ય રાખીને 550 કરોડનું બજેટ ફાળવ્યુ છે.
રજ્ય સરકાર દ્વારા પોલીસ કર્માચારીઓની માગંણીઓને લઇને મહત્વની જાહેરાત કરી છે. પોલીસ કર્મચારીઓની પે ગ્રેડમાં વધારો કરવાને લઇને માંગણી હતી. જેને રાજ્ય સરકારે માન્ય રાખીને 550 કરોડનું બજેટ ફાળવ્યુ છે.

આ અંગે જાહેરાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. ૫૫૦ કરોડનું ભંડોળ મંજૂર કરું છું.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોલીસ કર્મચારીઓને પગાર વધારાને લઇને જાહેરાત કરી હતી. જેને લઇને પોલીસ કર્મચારીઓ દ્વારા તે પોતાના મોબાઇલ ફોનમાં સ્ટેટસ પર રાખવામાં આવતા રાજ્ય સરકાર તાત્કાલિક નિર્ણય લેવો પડ્યો હોવાનું પોલીસ કર્મચારીઓ માને છે.












Click it and Unblock the Notifications
