સુરત: મેડિકલ ટેસ્ટમાં શાંતિસાગરે 6 કલાક કરી આનાકાની
બળાત્કારના આરોપી જૈન મુનિ શાંતિસાગર મહારાજે મેડિકલ ટેસ્ટ માટે પૂરતો સહકાર નહોતો આપ્યો.
મધ્ય પ્રદેશની યુવતી સાથે બળાત્કાર કરવાના આરોપમાં લાજપોર જેલમાં બંધ જૈન મુનિ આચાર્ય શાંતિસાગર મહારાજ અંગે આ મામલે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. આરોપી આચાર્ય મેડિકલ ટેસ્ટમાં સહકાર ન આપતા હોવાને કારણે અનેક પ્રશ્નો થઇ રહ્યાં છે. શાંતિસાગરની મહારાજની ધરપકડ બાદ તેમને તુરંતુ મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે ટેસ્ટમાં સહકાર ન આપ્યો હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદ બુધવારે ફરી એકવાર તેમને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 6 કલાક આનાકાની કરી હતી.

શાંતિસાગર મહારાજને ડીએનએ, પોટેન્સી અને સીમોન ટેસ્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ટેસ્ટના સેમ્પલ માટે શાંતિસાગર મહારાજે આનાકાની કરતાં 6 કલાકમાં 8 વાર સેમ્પલ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, આમ છતાં નિષ્ફળતા હાથ લાગી હોવાનું કહેવાઇ રહ્યું છે. બળાત્કારના મામલે આ મેડિકલ ટેસ્ટની રિપોર્ટ પુરાવાનું કામ કરે છે, ત્યારે ટેસ્ટ માટે જરૂરી સેમ્પલ ન મળવાને કારણે કેસ લંબાઇ રહ્યો છે. વળી, આ મામલે પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી, આ કારણે પણ પ્રશ્નો થઇ રહ્યાં છે.
શું છે મામલો?
મૂળ મધ્ય પ્રદેશની અને વડોદરાની કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ જૈન મુનિ શાંતિસાગર મહારાજ પર આરોપ મુક્યો છે કે, તેમણે પૂજા વિધિ અને જાપના બહાને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે પીડિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ ગત શનિવારે આરોપી શાંતિસાગર મહારાજની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેમને રાત્રે જ જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી ન થતાં સીધા આરોપીને જેલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવતીએ જણાવ્યું હતું કે, પૂજા-વિધિના નામે આચાર્યએ તેની આપત્તિજનક તસવીરો પણ મંગાવી હતી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
