Surendranagar Accident News : સુરેન્દ્રનગરમાં ટ્રક અને મીનિવાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

Surendranagar Accident News : સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારની સવારે હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે મિનીવાનની ટક્કરમાં ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના આયા ગામ પાસે બની હતી.

Surendranagar Accident News : સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારના રોજ રોડ પર ઉભેલા ટ્રક પાછળ વાન ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. સાયલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે છ કલાકે થયેલા આ અકસ્માતમાં વાનને કાપીને લાશોને બહાર કાઢવાની ફરજ પડી હતી.

Surendranagar Accident News

ઘટના આવી રીતે બની

સાયલા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડાસાથી રાજકોટ જઈ રહી હતી, ત્યારે આયા ગામ પાસે પાછળથી ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. વાનમાં સવાર ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

સાયલા પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારના રોજ આવી જ એક દુર્ઘટનામાં, ગુજરાતના આણંદ શહેર નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર તેમની મિનિવાન એક સ્થિર ટ્રક સાથે અથડાતાં ત્રણ લોકોના મોત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X