Surendranagar Accident News : સુરેન્દ્રનગરમાં ટ્રક અને મીનિવાન વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
Surendranagar Accident News : સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારની સવારે હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે મિનીવાનની ટક્કરમાં ચાર લોકોના મોત થયા હતા. આ ઘટના આયા ગામ પાસે બની હતી.
Surendranagar Accident News : સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારના રોજ રોડ પર ઉભેલા ટ્રક પાછળ વાન ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. સાયલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે છ કલાકે થયેલા આ અકસ્માતમાં વાનને કાપીને લાશોને બહાર કાઢવાની ફરજ પડી હતી.

ઘટના આવી રીતે બની
સાયલા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડાસાથી રાજકોટ જઈ રહી હતી, ત્યારે આયા ગામ પાસે પાછળથી ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. વાનમાં સવાર ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સાયલા પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારના રોજ આવી જ એક દુર્ઘટનામાં, ગુજરાતના આણંદ શહેર નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે પર તેમની મિનિવાન એક સ્થિર ટ્રક સાથે અથડાતાં ત્રણ લોકોના મોત થયા હતા.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?








Click it and Unblock the Notifications
