સુરેન્દ્રનગર-વઢવાણના જન્માષ્ટમી લોક મેળાની રાઈડ્સ બંધ રાખવાનો આદેશ, ક્યારે ફરી ચાલુ થશે?
Janmashtami Lok mela: Surendranagar-Wadhwan fair: સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા, વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં પણ લોક મેળાનું આયોજન મોટાપાયે થાય છે.
ભારે વરસાદના કારણે મેળામાં ભીડ નહીંવત છે, જે કારણે મેળા આયોજકો તેમજ નાના વેપારીને મોટાપાયે આર્થિક નુકસાન થયું છે.
સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે વઢવાણના રેલવે સ્ટેશન સામેના મેદાનમાં જન્માષ્ટમી લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં અન્ય મોટા મેળામાં ધ્રાંગધ્રાના મેળાની પણ ગણના થાય છે. ભારે વરસાદના કારણે આ તમામ મેળાઓ પર માઠી અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતેના મેળામાં તમામ રાઇડ્સ વરસાદના કારણે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય બાબત છે કે, ઈન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી કર્યા બાદ રાઇડ્સ ફરીથી શરૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જે કારણે જિલ્લામાં ઘણા સ્થળો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. શનિવારની રાતથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસી નોંધાયો છે.
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલા 80 ફુટ વિસ્તરમાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો
— DD News Gujarati (@DDNewsGujarati) August 26, 2024
સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતેના મેળામાં તમામ રાઇડ્સ વરસાદના કારણે તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો
ઈન્સ્પેક્શન કમિટી દ્વારા ચકાસણી કર્યા બાદ રાઇડ્સ ફરીથી શરૂ કરાશે#gujarat #rain #Surendrnagar pic.twitter.com/ngI5RuI7sy
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
