રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓ દ્વારા વસૂલાતા કરમા રાહત, 12 ટકા સુધીનું વળતર આપશે!
રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકાઓ દ્વારા વિવિધ શહેરીજનોને માળખાકીય સુવિધા માટે લેવામાં આવતા વિવિધ કરમાં આ રાહતનો લાભ મળશે.

રાજ્ય સરકાર દ્વારા આ સાથે ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રક ૩૦ જૂન ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારાઓને ૭ ટકા વળતરનો લાભ આપવામાં આવી છે. ત્યારબાદ ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર મળશે. ૩૧ જૂલાઈ સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર પણ મળશે.
ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા સરકારે ખાસ આ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે ભરનારાઓને પ ટકાના વળતરની જાહેરાત કરાઈ છે. આમ ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે. રાજ્ય સરકારે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તે માટે આ 'આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના'નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
