Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓ દ્વારા વસૂલાતા કરમા રાહત, 12 ટકા સુધીનું વળતર આપશે!

રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે ગુજરાતની વિવિધ નગરપાલિકાઓ દ્વારા વસૂલવામાં આવતા ટેક્ષ અને કરવેરામાં રાહત આપવાની જાહેરાત કરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ સરકારે વધુ બે મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. નગરપાલિકાઓ દ્વારા વિવિધ શહેરીજનોને માળખાકીય સુવિધા માટે લેવામાં આવતા વિવિધ કરમાં આ રાહતનો લાભ મળશે.

bhupendra patel

રાજ્ય સરકાર દ્વારા આ સાથે ર૦રર-ર૩ના નાણાંકીય વર્ષના વેરાની રક ૩૦ જૂન ર૦રર સુધીમાં એડવાન્સ ભરનારાઓને ૭ ટકા વળતરનો લાભ આપવામાં આવી છે. ત્યારબાદ ૧ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં એડવાન્સ ભરનારાને પાંચ ટકા વળતર મળશે. ૩૧ જૂલાઈ સુધીમાં મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ દ્વારા વેરા ભરનારા લોકોને વધારાનું પ ટકા વળતર પણ મળશે.

ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા સરકારે ખાસ આ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે ભરનારાઓને પ ટકાના વળતરની જાહેરાત કરાઈ છે. આમ ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે. રાજ્ય સરકારે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તે માટે આ 'આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના'નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X