મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે
મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત સ્વગાત ઓનલાઇન કાર્યક્રમ કરશે આ કાર્યક્રમ થકી મુખ્યમંત્રી સીધા આમ જનતાના સવાલો સાંભળીને તેમનો સ્થળ પર નિકાલ લાવવા પ્રયાસ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે.













Click it and Unblock the Notifications
