ગુજરાત હાઇકોર્ટે જાતી પરીક્ષણના કેસમાં પોલીસની તપાસ પર સવાલ ઉઠાવ્યા
જાતિ પરિક્ષણના કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજકોટના એક ગાયનેકોલોજિસ્ટનેદોષ મુક્ત કરવામાં આવ્યા હતા. હાઇકો્ર્ટે પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટીસ સંદીપ ભટ્ટે તબીબને નિર્દોષ મુક્ત કરતા અવલોકન કર્યુ હતુ કે, જાતી પરીક્ષણના કાયદામાં પોલીસ મગજ બંધ કરીને તપાસ કરે છે. જેના લીધે સાચા તબીબની કારકિર્દી જોખમમાં મુકાય છે. પોલીસન આ પ્રકારની કામગીરીથી તબીબને સહન કરવાનો વારો આવે છે.

ગાયનેકોલોજીસ્ટ સામેની ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ડોક્ટર ગર્ભવતી મહિલાઓની સમંતી લેતા ન હતો. તેમજ તેમની પાસે જાતી પરીક્ષણનં પ્રમાણ પત્ર પણ નહોતુ. તેમજ જાતી પરીક્ષણ અંગેની કોઇ નોટીસ પણ મુકવામાં આવી નહોતી.
પોલીસ દ્વારા ડોક્ટર ખરેખર જાતી પરીક્ષણ કરતા હતા કે કેમ તે અંગે કોઇ સાબિતી આપી શક્યા નહોતા. પોલીસ પાસે ગર્ભ પરીક્ષણના કોઇ પુરતા પુરાવા નહોતા. ડોક્ટર દ્વારા સેશન્સ કોર્ટમાં ડિસચાર્જ માટેની અરજી કરી હતી. જે ફગાવી દેવામાં આવતા તેમણે હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જે ફગાવી દેવાતા તેમણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે ગાર્હ રાખીને તેમને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
