પંજાબ સરકારે ફિજિકલ સ્ટેમ્પ પેપર સુવિધા બંધ કરીને ઇ સ્ટેમ્પ સુવિધા કરી શરૂ
પંજાબ સરકાર દ્વારા સરકાર કામ કાજ હવે પછી ડીજીટલી કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા થોડા દિવસ પહેલા દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા હતા. આ પગલાના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા કર ચોરીને રોકવા માટે મહત્વનો નિર્ણય લેતા ઓપ લ
પંજાબ સરકાર દ્વારા સરકાર કામ કાજ હવે પછી ડીજીટલી કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા થોડા દિવસ પહેલા દિશા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા હતા. આ પગલાના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા કર ચોરીને રોકવા માટે મહત્વનો નિર્ણય લેતા ઓપ લાઇન સ્ટેમ્પ પેરની સુવિધાને બંધ કરી દિધી હતી. આનાથી કામમાં વધારે પારદર્શિતા આવશે. આટલુ જ નહી, સરકારે હવે ઇ સ્ટેમ્પની સુવિધા પણ શરૂ કરી દિધી છે. આની જાણકારી સરકારે ખુદ પોદાના ટ્વીટર હેન્ડલર પર આપી છે.
પંજાબ સરકારે પોતાના અધિકારીત ટ્વીટર હેન્ડલ પર જાણકારી આપી હતી. કે, પંજાબા સરકારે મહત્વનો નિર્મય લેતા ફિઝીકલ સ્ટેમ્પને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. હવે કઇ પણ મૂલ્યનું સ્ટેમ્પ પેપર ઇ સ્ટેમ્પ દ્વરા જ જારી કરવામાં આવશે.
સરકારના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આપતા સ્ટેમ્પ પેપર મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એ પણ ત્યારે જ્યારે સ્ટેમ્પ વેચનાર હાજર નથી હોતા. અથવા વધારે કિમતે ખરીદવા માગે છે. કેબિનેટ મંત્રી બ્રહ્મ શંકર જિમ્પાએ જણાવ્યુ હતુ કે, પંજાબ સરકાર 1 રૂપિયામાં 19,999 રૂપિયા સુધી ઇ સ્ટેમ્પ પેપર વિક્રેતાઓને 2 ટકા કમિશન આપવામાં આવશે. જ્યારે જનતાને તેની મૂળ કિમતે સ્ટેમ્પ પેપર મળશે.
સરકારના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ વાળી પંજાબ સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી સ્ટેમ્પ પેપરની પ્રિન્ટ પર થનારા વાર્ષિક 35 કરોડ રૂપિયાનો બચાવ થશે. આ સાથે જનતાને સ્ટેમ્પ પેપર સરળતાથી મળી શકશે.