રાજ્યમાં હવે વિશેષ NIA કોર્ટની જરૂર નથી : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના કેસો ચલાવવા માટે વધારાની વિશેષ અદાલતો સ્થાપવાની કેન્દ્રને ભલામણ કરવાનો ઈન્કાર કર્યો છે, એમ એક અધિકારીએ 23 નવેમ્બરના રોજ જણાવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના કેસો ચલાવવા માટે વધારાની વિશેષ અદાલતો સ્થાપવાની કેન્દ્રને ભલામણ કરવાનો ઈન્કાર કર્યો છે, એમ એક અધિકારીએ 23 નવેમ્બરના રોજ જણાવ્યું હતું.

Gujarat High Court

મુખ્ય ન્યાયાધીશે ન્યાયાધીશ જે. બી. પારડીવાલા અને નિરલ આર. મહેતાની ડિવિઝન બેન્ચ દ્વારા કરાયેલી દરખાસ્તને ફગાવી દીધી હતી, કારણ કે, ઉક્ત કાયદા હેઠળ ફક્ત 12 કેસ છે અને આ હેતુ માટે બે વિશેષ અદાલતોને વિશેષ અદાલતો તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

એક આદેશમાં ડિવિઝન બેચે 17 નવેમ્બરના રોજ હાઇકોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર (વહીવટ) દ્વારા ડેપ્યુટી રજિસ્ટ્રાર, ફોજદારી અપીલ વિભાગને સંબોધિત પત્રનો ઉલ્લેખ કર્યો હતો.

આ પત્ર મુજબ અસ્વીકાર માટેનું કારણ એ હતું કે, આ કાયદા હેઠળ ફક્ત 12 કેસ હતા અને આ હેતુ માટે બે વિશેષ અદાલતો નિયુક્ત કરવામાં આવી છે, એમ કોર્ટે 22 નવેમ્બરના રોજ આપેલા તેના આદેશમાં જણાવ્યું હતું.

કોર્ટે ચીફ જસ્ટિસને વિનંતી કરી હતી કે NIA એક્ટ, 2008ની કલમ 11(6) હેઠળ જોગવાઈ મુજબ વિશેષ અદાલતમાં ઓછામાં ઓછા બે વધુ ન્યાયાધીશોની નિમણૂક કરવા માટે કેન્દ્રને ભલામણ કરવા પર વિચાર કરો, જેથી ટ્રાયલ ઝડપથી આગળ વધી શકે. અંડરટ્રાયલ આરોપીને લાંબા સમય સુધી જેલમાં રહેવું ન પડે.

નોટબંધી બાદ નકલી ચલણી નોટો છાપવાના આરોપમાં ધરપકડ કરાયેલા એક વ્યક્તિની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ વિનંતી કરી હતી અને NIA દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી હતી.

આરોપીના કેસની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ NIA જજે જણાવ્યું કે, તે NIA હેઠળ લગભગ સાત ટ્રાયલ્સના ઈન્ચાર્જ છે અને ચાલી રહેલા 2002ના નરોડા ગામ રમખાણોના કેસની પણ સુનાવણી કરી રહ્યા છે, તે પછી આ વિનંતી આવી છે. વિશેષ ન્યાયાધીશે દાવો કર્યો હતો, કે તેમણે સિટી સિવિલ જજ તરીકે અન્ય ન્યાયિક કામો અને સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના વહીવટી કાર્યો પણ કરવાના છે.

જામીન અરજીની સુનાવણી કરતા હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે, એનઆઈએની વિશેષ અદાલતે છેલ્લા ત્રણ મહિનામાં આ કેસમાં માત્ર એક જ સાક્ષીની તપાસ કરી છે અને ફરિયાદ પક્ષ લગભગ 47 સાક્ષીઓની તપાસ કરવા માંગે છે, જેના માટે ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે.

અરજદાર છેલ્લા પાંચ વર્ષથી જેલમાં હોવાથી કોર્ટે ભારતના એડિશનલ સોલિસિટર જનરલને સૂચનાઓ આપવાનો આદેશ આપ્યો હતો કે, જો અપીલકર્તાને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવે તો NIAને ગંભીર પૂર્વગ્રહ થઈ શકે છે કે કેમ? કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 29 નવેમ્બર સુધી મુલતવી રાખી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X