નવસારી એસ.ઓ.જી.ની ટીમે નક્સલવાદના ત્રણ આરોપીઓની ધરપકડ કરી

પોલીસ અધિક્ષક નીલેશ જાજડીયાની સૂચના હેઠળ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેકટર સી.જે.ગૌસ્વામી તથા તેમની ટીમના સભ્યોએ બિહાર રાજયમાં ૨૫ જેટલા ગંભીર ગુન્હાઓ જેવા કે, ધાડ, નક્સલવાદ, ખંડણી, મર્ડર વગેરે ગુન્હાઓમાં સકળાયેલા અને છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
બિહારના વતની એવા રાજેશરાય ઉર્ફે પવન ધનરાજ રાય, ધનઈકુમાર સુકેશા સહાની, સનોજ રીતલાલ સહાની નવસારીના ચીખલી ખાતેના જીગર એજન્સી પાછળ આઝાદનગર અરવિંદ યાદવનજીની ચાલવાળી ખોલીમાંથી પકડી ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
