મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે
ગુજરાત સહિત દેશભરના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી કરવી હવે ખર્ચાળ બનશે. 1 એપ્રિલથી ટોલ ટેક્સના નવા દરો અમલી બનતા વાહનચાલકોના ખિસ્સા પર આર્થિક બોજ વધશે.
નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ દરોમાં સરેરાશ 3 થી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વાહનના પ્રકાર મુજબ હવે ચાલકોએ 5 થી 20 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ ચૂકવવો પડશે.

નવા નિયમ મુજબ હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. વાહનચાલકોએ માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ માધ્યમથી જ ફરજિયાત ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર હવે કાર અને જીપ માટે 145 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે આ જ રૂટ પર બસ અને ટ્રક જેવા ભારે વાહનો માટે 490 રૂપિયાનો દર નક્કી થયો છે.
વાસદ ટોલ પ્લાઝા પર પણ ભાવ વધારો ઝીંકાયો છે, જ્યાં કાર માટે 160 રૂપિયા વસૂલાશે. મિની બસ માટે 255 રૂપિયા અને મોટા ટ્રક માટે 520 રૂપિયાનો નવો ભાવ અમલમાં આવશે.
ખેડાના રઘવાણજ ટોલ પ્લાઝા પર કાર ચાલકોએ હવે 115 રૂપિયાનો ટેક્સ આપવો પડશે. આ સાથે જ એલસીવી વાહનો માટે 180 રૂપિયા અને ટ્રક-બસ માટે 370 રૂપિયાનો નવો દર નક્કી કરાયો છે.
ભરથાણા ટોલ પ્લાઝા પર કાર માટેનો ભાવ 155 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. જોકે, અન્ય મોટા વાહનો જેમ કે ટ્રક અને બસ માટે હવે 530 રૂપિયાનો ટોલ ટેક્સ લાગુ પડશે.
દિલ્હી-મુંબઈ કોરિડોર પર પણ મુસાફરી મોંઘી બની છે, જ્યાં ટ્રક માટે 520 રૂપિયા લેવાશે. થ્રી એક્સલ વાહનો માટે અહીં 565 રૂપિયા અને મોટા કન્ટેનર માટે 835 રૂપિયાનો દર રહેશે.
નવી દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે (NE4) ના વિવિધ સાત પ્લાઝા પર પણ ભાવ વધ્યા છે. જેમાં દોડકા, ફાજલપુર અને દેહગામ જેવા પ્લાઝા પર 5 થી 20 રૂપિયાનો વધારો થયો છે.
વડોદરાથી નડિયાદ અને આણંદ વચ્ચેના કારના દરોમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી. પરંતુ અન્ય રૂટ્સ પર વધેલા ભાવોને કારણે સામાન્ય જનતાના પરિવહન બજેટ પર અસર પડશે.












Click it and Unblock the Notifications
