ગીર સોમનાથમાં ભારેલો અગ્નિ, પોલિસનો ચાંપતો બંદોવસ્ત
સોમનાથના ઉનામાં વધુ એક વખત ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે સ્વતંત્રતા દિવસ પર ઉનામાં અસ્મિતા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દલિતો જોડાયા હતા. જોકે આ યાત્રામાંથી વાહનો પરત ફરી રહ્યા હતા. તે સમયે કાંકરીચાળો થતા પથ્થરમારો થયો હતો. જેના કારણે સ્થિતિ વણસી હતી.
ઉનાના સામતેર નજીક પત્થરમારામાં છથી સાત ફોરવ્હીલ વાહનોના કાચ તોડવામાં આવ્યા. તો, કેટલાક બાઈકને આગ પણ ચાંપવામાં આવી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા છ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ઉના શહેર અને આજુબાજુના 22 ગામડાઓમાં પરિસ્થિતિ તંગ બની છે.

પત્થરમારાની ઘટનાને લઈને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સામતેર, ધોકડવા અને રામેશ્વર ગામ અને ઉના શહેરમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. અને 22 ગામના દલિતોએ તાત્કાલિક સુરક્ષાની માંગ કરી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
