અલ્પેશ ઠાકોરની થઇ અટક, દલિત પેન્થર દ્વારા ગુજરાત બંધનું એલાન

ઉનામાં દલિતને માર મારવાના વિરોધમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યા બાદ ઉપવાસ પર બેઠા હતા. જો કે આ આંદોલનને પોલિસની પરવાની ન હોવાના કારણે અલ્પેશ ઠાકોર અને તેમના સાથીઓની પોલિસ દ્વારા અટક કરવામાં આવી છે જે બાદ દલિત પેન્થર દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં જ ઉનામાં દલિત યુવાનોને જાહેરમાં માર મારવાની ધટના બની હતી જેના ઘેરા પ્રત્યાઘાત ગોંડલ સહીત દેશની સંસદ સુધી પડ્યા છે. માયાવતી જ્યાં આ અંગે રાજ્યસભામાં અવાજ ઉઠાવ્યો હતો. જો કે તેમણે આ આંદોલનને શાંતિપૂર્ણ રીતે ચલાવવાની અને શાંતી જાળવવાની અપીલ કરી હતી.

alpesh thakor

જો કે તેમ છતાં જૂનાગઢના કાળવા ચોકમાં દલિત સમાજના લોકોએ એકઠા થઇને "જય ભીમ" નારા લગાવીને આ આખી ધટનાનો વિરોધ કર્યો હતો. બીજી તરફ ઉના દલિત અત્યાચારના પડધા આખા રાજ્યભરમાં સંભળાયા હતા.

રાજ્યમાં આજે ઠેર ઠેર દલિત સમાજના લોકોએ ચક્કાજામ કર્યું હતું. અમરેલીમાં પણ પ્રદર્શનકારીઓ સાથે પોલિસનું ધર્ષણ થયું હતું. ચિત્તલ રોડ પર પ્રદર્શનકારીઓને ભગાવવા માટે પોલિસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. અને સ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયાસો કર્યા હતા.

ભાજપના રાજ્ય પ્રમુખ વિજય રૂપાણીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગુજરાતીની શાંતિને ભંગ કરવા માટે અને રાજકીય લાભ ખાટવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતાને તે જ અપીલ છે કે તે શાંતિ રાખે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X