ગુજરાત સરકારની તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી તીર્થયાત્રા
ગુજરાતમાં વસતા સિનિયર સિટિઝન્સ તીર્થ દર્શનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ યોજનાનો અત્યાર સુધીમાં ૧,૩૨,૯૨૮ શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. વર્ષ ૨૦૧૭થી અમલી આ યોજનામાં સરકારે શ્રદ્ધાળુઓને રૂ. ૭૫૭ લાખની સહાય પ્રદાન કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની તીર્થ દર્શન માટે ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૧,૩૬,૩૩૫ શ્રદ્ધાળુઓએ લીધો છે અને આ માટે રાજય સરકારે રૂ.1464.90 લાખ એટલે કે રૂ.14 કરોડ 64 લાખ 90 હજારની સહાય શ્રદ્ધાળુઓને આપી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજનાની જેમ અન્ય યોજનાઓ પણ ચાલી રહી છે. જેમાં "કૈલાશ માન સરોવર યોજના" અને "સિંધુ દર્શન યોજના" મહત્વની છે. આ યોજનાઓમાં કૈલાશ માન સરોવર યોજના સૌથી જૂની છે. આ યોજના ૨૦૦૧થી અમલમાં છે, જ્યારે સિંધુ દર્શન યોજનાનો શુભારંભ ૨૦૧૭માં થયો.
વર્ષ ૨૦૦૧થી શરુ થયેલી કૈલાશ માન સરોવર યાત્રાનો લાભ ૨,૫૬૧ શ્રદ્ધાળુઓએ લીધો છે. આ યાત્રા માટે રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓને રૂ. ૫૮૧ લાખની સહાય ચૂકવી છે. તેવી જ રીતે વર્ષ 2017થી ચાલતી સિંધુ દર્શન યોજનાના લાભાર્થીઓની સંખ્યા જૂન-2023 સુધી 846 એ પહોંચી છે કે જેમને રાજ્ય સરકારે રૂ. 126.9 લાખની સહાય પૂરી પાડી છે.
ભારતના ભાલ સમાન લેહ-લદાખમાં યોજાતા સિંધુ દર્શન ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમા પર્વએ યોજાતા આ ઉત્સવમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. અહીં શ્રદ્ધાળુઓ સિંધુ સ્નાન કરી પવિત્રતાની અનુભૂતિ કરે છે. આ યોજના હેઠળ વર્ષમાં ૩૦૦ પ્રવાસીઓને સહાય મળે છે. લાભાર્થી દીઠ રૂ. ૧૫ હજારની સહાય કરવામાં આવે છે. જો પ્રવાસીઓની સંખ્યા વધે, તો ડ્રૉ સિસ્ટમથી ૩૦૦ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.
આમ, ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઈચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી










Click it and Unblock the Notifications
