કાર્યકારી અધ્યક્ષપદેથી વજુભાઇનું રાજીનામું, અધ્યક્ષપદ નક્કી!

vajubhai-vala
ગાંધીનગર, 19 જાન્યુઆરીઃ ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદેથી વજુભાઇ વાળાએ શુક્રવારે રાજીનામું આપ્યું છે. આ સાથે જ એ વાતને પ્રબળ વેગ મળ્યો છે કે, તેઓ વિધાનસભાના અધ્યક્ષપદે બિરાજશે. વિધાનસભાની પ્રથમ બેઠક મળ્યા બાદ તેમને કાયમી અધ્યક્ષ બનાવી દેવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેમણે પોતાનું રાજીનામું વિધાનસભાના સચિવને સુપ્રત કર્યું છે. તેમના સ્થાને નવા પ્રોટેમ સ્પિકર તરીકે ડો નિમાબેન આચાર્યનું નામ જાહેર કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે કે, નોંધનીય છે કે, વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાનો સમાવેશ મોદી સરકારની કેબિનેટમાં કરવામાં આવતા અધ્યક્ષ પદ ખાલી ના રહે તે માટે વજુભાઇને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે, સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળાના નામે છે. આગામી તા.22-23 જાન્યુઆરીનાં રોજ વિધાનસભાનું વિશેષ સત્ર મળી રહ્યું છે. તેમાં તા.22મીએ ધારાસભ્યપદની શપથ બાદ તા.23મીએ વિધિવત્ રીતે વજુભાઇને કાયમી અધ્યક્ષ તરીકે નિમાય તેવી શક્યતા જોવાઇ રહી છે.

ઉલ્લેખનિય છે કે, ૧૮૨ની વિધાનસભામાં કોંગ્રેસના ચૂંટાયેલા એક ઉમેદવારનુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયુ છે. જ્યારે સાંસદે ધારાસભામાં ચૂંટાયેલા ઉમેદવારપદેથી રાજીનામુ આપ્યુ છે. આથી મંગળવારે મળી રહેલી પહેલી બેઠક ૧૮૦ના સંખ્યાબળ સાથે મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X