વાપીમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ
વાપીમાં એક કેમિકલ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે લોકોમાં દોડધામ થઇ હતી.
વલસાડના વાપીમાં મોરારજી સર્કલ પાસે આવેલ એક કેમિકલ ફેક્ટરીના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ગુરૂવારે વહેલી સવારે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ગોડાઉનની આસપાસ રહેણાક વિસ્તાર હોવાથી લોકોમાં દોડધામ થઇ ગઇ હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા નજરે પડતા હતાં.

આગ પર કાબૂ મેળવવા માટે પાંચ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડ ટીમે 4 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફેક્ટરીમાં લાગેલી આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે, ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.
{promotion-urls}












Click it and Unblock the Notifications
