ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા રાજપૂતને ફળી, કોંગ્રેસે બનાવ્યા વાવાની પેટાચૂંટણીના ઉમેદવાર
અમદાવાદ: બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખુબ જ રસપ્રદ રહી હતી.કારણ કે, કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખા ડૉ રેખાબેન ચૌધરીને જોરદારની ટક્કર આપી હતી અને આખરે ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. વાવ બેઠક પરના ધારાસભ્ય ગેનીબેન લોકસભામાં સાંસદ તરીકે લોકસભામાં ગયા ત્યારે તેમણે વિધાનસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યુ હતુ અને વાવ બેઠક ખાલી પડી હતી.
વાવ બેઠક ખાલી પડતા ચર્ચાએ જોર પકડ્યુ હતુ કે, હવે કોંગ્રેસ વાવા બેઠકની પેટાચૂંટણીમાં કોને ઉમેદવાર બનાવશે.જોકે હવે વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પરથી કોને ઉમેદવાર બનાવશે તે પર સૌની નજર હતી ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવાર સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે.
કોંગ્રેસે વાવ બેઠક પર ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર કર્યુ છે. ગુલાબસિંહ રાજપૂત 2022ની વિધાનસભાની ચૂંટણી થરાદ બેઠક પરથી લડ્યા હતા જો કે, તેમને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.જો કે, લોકસભાની ચૂંટણીમાં કરેલી મહેનતને કારણે કોંગ્રેસે ફરી એક વખત યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત પર દાવ લગાવ્યો છે.

'લોકસભાની ચૂંટણીની મહેતનનું પરિણામ'
બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર થયુ ત્યારથી ગુલાબસિંહ રાજપૂત ગેની બેન ઠાકોરના પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા હતા. ગેનીબેન ઠાકોર સાંસદ બને તે માટે ગુલાબસિંહ રાજપૂતે ખુબ મહેનત કરી હતી અને આ જ મહેનતના ફળ સ્વરૂપે કોંગ્રેસે પેટાચૂંટણીમાં ઉમેદવારીની પસંદગીનો કળશ ગુલાબસિંહ રાજપૂત પર ઢોળ્યો છે. રાજનીતિ જાણકારોના મતે ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા ગુલાબસિંહ રાજપૂતને ફળી છે.
અભિનંદન અભિનંદન
— Gujarat Congress (@INCGujarat) October 25, 2024
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રી @GulabsinhRajput જી ને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...#VoteForGulabsinh pic.twitter.com/3djPEBtw0j
13 નવેમ્બરે યોજાશે ચૂંટણી
13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
