ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે દેવભૂમિ દ્વારકાની મુલાકાતે, જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે સીએમે કર્યુ સ્વાગત
ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા છે.
અમદાવાદઃ ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ ગુજરાતની ટૂંકી મુલાકાતે આવ્યા છે. જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીને આવકારી તેમનુ ભાવભર્યુ સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શ્રી જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર શ્રી આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ કર્યુ હતુ. ઉપ રાષ્ટ્રપતિશ્રી જામનગરમાં ટૂંકા રોકાણ બાદ દ્વારકાધીશ મંદિરના દર્શન માટે દ્વારકા જવા રવાના થયા હતા.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની મુલાકાતને લઈને દ્વારકામાં સુરક્ષા કારણોસર પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની સુરક્ષામાં 1 એસપી, 6 ડીવાયએસપી, 12 પીઆઇ, 45 પીએસઆઇ સહિત 1 હજાર 100 જેટલા જવાનો ખડેપગે રહશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરીને પ્રસિદ્ધ અને પ્રાચીન નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે જશે.