વિજય રૂપાણીએ 16મા મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા
તત્કાલિન મુખ્યપ્રદાન આનંદીબેન પટેલે રાજીનામું આપતાં વિજય રૂપાણીએ ગુજરાતની બાગડોર સંભાળી છે. રવિવારે વિજય રૂપાણી સહિત તેમના નવા મંત્રીમંડળે પણ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા છે. વિજય રૂપાણીના નવા મંત્રીમંડળમાં નીતિન પટેલ સહિત 24 મંત્રીઓનો સમાવેશ થયો છે. નીતિન પટેલે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
રૂપાણી સરકારના મંત્રી મંડળમાંથી 4ને હટાવાશે, 8 નવા ચેહરા આવશે
દિલીપ ઠાકોર, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, આત્મારામ પરમાર, ગણપત વસાવા, બાબુ બોખરીયા, જયેશ રાદડીયા અને ચીમનભાઇ સાપરિયાનો કેબિનેટ કક્ષાના મંત્રીઓ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શંકર ચૌધરી, પ્રદીપસિંહ જાડેજા, જયંતિભાઈ કવાડિયા, નાનુભાઇ વાનાણી, પરષોત્તમભાઇ સોલંકી, જશાભાઇ બારડ, બચુભાઇ ખાબડ, જયદ્રથસિંહજી પરમાર, ઈશ્વરસિંહ પટેલ, વલ્લભભાઈ કાકડિયા, રાજેન્દ્ર ત્રિવેદી, કેશાજી ચૌહાણ, રોહિત પટેલ, વલ્લભભાઈ વઘાસિયા, નિર્મલાબેન વાઘવાણી અને શબ્દશરણ તડવીનો સમાવેશ કરવામાં આવ્યો છે