તસવીરોમાં જુઓ ઉમિયાધામનો લક્ષચંડી મહાયજ્ઞ, 60 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા
તસવીરોમાં જુઓ ઉમિયાધામનો લક્ષચંડી મહાયજ્ઞ, 60 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા
ઉંઝાઃ મહેસાણાના ઉંઝામાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ સંપન્ન થઈ ચૂક્યો છે. પાંચ દિવસ ચાલેલા આ યજ્ઞમાં 60 લાખ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. આ યજ્ઞના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેને પગલે હાઈવે પર 5 કિમી સુધી વાહનોની લાઈનો જોવા મળી રહી છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડ 800 વીઘામાં વસાવવામાં આવેલ અસ્થાયી ઉમિયાધામમાં એકત્રિત થયા. 800 વીઘામાંથી 25 વીઘામાં ભવ્ય યજ્ઞશાળા સ્થાપિત કરવામાં આવી હતી, જ્યાં ઉમિયા માતા વિરાજમાન હતાં.

800 વીઘામાં અસ્થાયી ઉમિયાધામ વસાવ્યું
સંવાદદાતા મુજબ લોકોની અનુકૂળતા માટે કુલ 500 વીઘા ક્ષેત્રમાં વાહન પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં આવતા શ્રદ્ધાળુઓને આરાધ્ય દેવી ઉમિયા માતાજીના દર્શનમાં અસુવિધા ના થાય, તે માટે 22 કલાક મંદિરના કપાટ ખુલ્લા રહ્યા.

60 કરોડથી વધુનું દાન મળ્યું
આયોજક અરવિંદ સોમાભાઈ પટેલે કહ્યું કે મહાયજ્ઞમાં 60 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા, જેમનાથી 60 કરોડથી વધુનું દાન મળ્યું. યજ્ઞના પ્રથમ દિવસે એટલે કે બુધવારે 1 લાખ 70 હજાર અને ગુરુવારે 2 લાખ 75 હજાર શ્રદ્ધાળુઓ બાળનગરીનો આનંદ ઉઠાવ્યો.

પાટીદાર સમાજના આરાધ્યાદેવી છે ઉમિયા માતા
ઉમિયા ધામ ગુજરાતના ઉંઝામાં આવેલ છે. ઉમિયા માતા કડવા પાટીદાર સમાજના આરાધ્યાદેવી છે. અહીં 5 દિવસ સુધી તેમનો મહાયજ્ઞ આકર્ષણનું કેન્દ્ર બન્યો રહ્યો. અહીં ઉંઝા એપીએમસીમાં ભક્તોને રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી. યજ્ઞને પગલે વેપારીઓ તરફથી એપીએમસી બંધ રાખવામાં આવ્યું.

ભક્તોના ખોરાકથી લઈ રોકાવવા સુધીની વ્યવસ્થા
ભક્તોના ભોજનથી લઈ તેમના રોકાવવા સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એટલું જ નહિ જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા ના પહોંચી શકે તેમના માટે સોશિયલ મીડિયા પર યજ્ઞની ઝાંકીઓ અપલોડ કરવા સહિતની જવાબદારી અલગ-અલગ ટીમને સોંપવામાં આવી.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
