મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે વિભાગે 4 જોડી સ્પેશિયલ ટ્રેનનું આયોજન કર્યું, જાણો સમય અને રૂટ
Railway News: મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર જૂનાગઢ અને વેરાવળ ખાતે ઉમટતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે રેલવે વિભાગ દ્વારા 4 જોડી 'મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ' ટ્રેનો દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો વિશેષ ભાડા સાથે અનારક્ષિત (Unreserved) કેટેગરીમાં દોડશે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમયપત્રકની ખાતરી કરી લે અને સ્ટેશન પર સ્વચ્છતા જાળવવામાં રેલવે તંત્રને સહયોગ આપે.

મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ ટ્રેનોનું વિગતવાર શિડ્યુલ
1. રાજકોટ-વેરાવળ-રાજકોટ (ટ્રેન નં. 09513/09514)
- સમય: ટ્રેન નં. 09513- રાજકોટથી સવારે 06:55 કલાકે ઉપડી 10:55 કલાકે વેરાવળ પહોંચશે. ટ્રેન નં. 09514- પરતમાં વેરાવળથી બપોરે 15:20 કલાકે ઉપડી રાત્રે 20:00 કલાકે રાજકોટ પહોંચશે.
- રૂટ: આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશને ઉભી રહેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
2. ભાવનગર-વેરાવળ-ભાવનગર (ટ્રેન નં. 09581/09582)
- સમય: ટ્રેન નં. 09581- વેરાવળથી સવારે 06:50 કલાકે ઉપડી બપોરે 14:00 કલાકે ભાવનગર પહોંચશે. ટ્રેન નં. 09582- પરતમાં ભાવનગરથી બપોરે 14:50 કલાકે ઉપડી રાત્રે 21:35 કલાકે વેરાવળ પહોંચશે.
- રૂટ: કેશોદ, જૂનાગઢ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લાઠી, ઢસા, ધોળા અને સિહોર ખાતે સ્ટોપેજ રહેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
3. વેરાવળ-ગાંધીગ્રામ (અમદાવાદ)-વેરાવળ (ટ્રેન નં. 09584/09583)
- સમય: ટ્રેન નં. 09584- વેરાવળથી સવારે 04:00 કલાકે ઉપડી બપોરે 12:00 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. ટ્રેન નં. 09583-પરતમાં ગાંધીગ્રામથી બપોરે 13:00 કલાકે ઉપડી રાત્રે 21:00 કલાકે વેરાવળ પહોંચશે.
- રૂટ: આ ટ્રેન બોટાદ, ધંધુકા, ધોળકા અને બાવળા સહિતના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
4. વેરાવળ-જૂનાગઢ-વેરાવળ (મીટર ગેજ) (ટ્રેન નં. 09591/09592)
- સમય: ટ્રેન નં. 09591- વેરાવળથી સવારે 09:15 કલાકે ઉપડી બપોરે 13:00 કલાકે જૂનાગઢ પહોંચશે. ટ્રેન નં. 09592- પરતમાં જૂનાગઢથી બપોરે 13:25 કલાકે ઉપડી સાંજે 17:05 કલાકે વેરાવળ પહોંચશે.
- રૂટ: સવની, તાલાળા, સાસણ ગીર, સતાધાર, વિસાવદર અને બિલખા જેવા સ્ટેશનોને આવરી લેશે.
- ક્યારે ચાલશે: 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી 2026.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
