સીઆર પાટીલ બાદ કોણ હશે ગુજરાત બીજેપી અધ્યક્ષ? આ નામો ચર્ચામાં
કેન્દ્રની નવી એનડીએ સરકારમાં ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલને મંત્રી બનાવાયા છે. હવે તેમના જવાથી ગુજરાત બીજેપી અધ્યક્ષની સીટ ખાલી પડશે.
નવી કેબિનેટના શપથ બાદ હવે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો સવાલ એ છે કે મોદી કેબિનેટમાં પાટીલની એન્ટ્રી બાદ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે?

2009થી સતત ચોથી વખત નવસારી બેઠક પર જીત મેળવનાર સીઆર પાટીલ તેમની 35 વર્ષની રાજકીય કારકિર્દીમાં પ્રથમ વખત કેન્દ્રમાં મંત્રી બની રહ્યા છે. આ સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક ખાલી પડી છે.
હાલ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ છે અને કાર્યકરોમાં સી.આર.પાટીલની પકડ ઘણી મજબૂત માનવામાં આવે છે. પાટીલના નેતૃત્વમાં ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવીને અનેક રેકોર્ડ બનાવ્યા છે.
પાટીલના નેતૃત્વમાં ભાજપે તમામ જૂના રેકોર્ડ તોડીને વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. જો કે હવે ભાજપ ગુજરાત કોને સોંપશે તે એક મોટો પ્રશ્ન છે.
અહેવાલો અનુસાર, નવા પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી અથવા ક્ષત્રિય ચહેરાને તક મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની મજબુત સ્થિતિને જોતા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી જ OBC ચહેરો હોઈ શકે છે.
ઠાકોર સમાજના પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ ઓબીસી ચહેરા તરીકે હોઈ શકે છે, ઉપરાંત આ વખતે પછાત જ્ઞાતિઓમાં પણ વિનોદ ચાવડાનું નામ ચર્ચાઈ રહ્યું છે. રૂપાલાને મંત્રી ન બનાવીને ક્ષત્રિય સમાજને ખુશ કરવાના પ્રયાસમાં ક્ષત્રિય સમાજ આઈકે જાડેજા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હોવાનું મનાય છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
