વઢવાણી બેઠક પરથી જીજ્ઞા પંડ્યાની જગ્યાએ જગદીશ મકવાણાને ટિકિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર ભાજપ ભીસમાં જોવા મળી રહ્યુ છે. ઉમેદવારોની પસંદગી બાદ જે નારાજગી અને વિવાદોનો દર શરૂ થયો છે તે થમવાનો નામ નથી લેતો. તેના માટે ખૂદ કેન્દ્રીય મંત્રી અમિત શાહને મેદાનમાં આવુ પડ્યુ હતુ. અ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર ભાજપ ભીસમાં જોવા મળી રહ્યુ છે. ઉમેદવારોની પસંદગી બાદ જે નારાજગી અને વિવાદોનો દર શરૂ થયો છે તે થમવાનો નામ નથી લેતો. તેના માટે ખૂદ કેન્દ્રીય મંત્રી અમિત શાહને મેદાનમાં આવુ પડ્યુ હતુ. અમિત શાહે રવિવારે 5 વાગે કમલમ આવી પહોચ્યા હતા. અને પ્રદેશન નેતાઓ સાથે બેઠક કરીને જે નેતાઓ નારાજ હોય તેમની નારાજગી દૂર કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યુ હતુ. સૌથી વધારે નારાજગી વડોદરામાં જોવા મળી રહી છે. સુરતમાથી ઝંખના પટેલ, ભાવનગરથી વિભાવરી દવે સહિતના નેતાઓ નારાજ છે.

ભાજપનાા કાર્યકર્તા અને લોકો માટે સૌથી વધુ આશ્ચર્યચકીત કરતી વઢવાણની બેઠક માટે લીધેલો નિર્ણય હતો. આ બેઠક પર જીજ્ઞા પંડ્યાના નામની જાહેરાત કર્યા બાદ અચાનક રાતો રાત તેમની જગ્યાએ જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેતા સૌવ કોઇને વિચારતા કરી દીધા હતા. તો બીજી તરફ જીજ્ઞા પંડ્યાની ટિકિટ કપતા ભ્રહ્મણોમાં નારાજગી જોવા મળી હતી.
જીજ્ઞા પંડ્યાને કમલમા બોલાીને તેમની પાસે પાર્ટીએ તેમને ટિકિટ આપી તેમ માટે તેમનો આભાર વ્યક્ત કરામાં આવ્યો અને ટિકિટ લેવાનો ઇન્કાર કરી દિધો હતો. તેમણે પોતાના લેટરમાં લખ્યુ હતુ કે, હુ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલી છુ. મને વઢવાણ બેઠખ માટે યોગ્ય ઉમેદવાર સમજી તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આભાર માનુ છુ. અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા મારી જગ્યાએ બીજા કોઇ અન્ય ઉમેદવારને તક આપે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
ભાજપ દ્વારા સુરેન્દ્રનગર શહેરની વઢવાણી બેઠક માટે ભાજપના જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાના નામની જારાત કરી હતી. તે દલવાડી સમાજમાથી આવે છે આજે તે પોતાની ઉમેદવારી નોધાવશે. દલવાડી સમાજ દ્વારા જામનગરમાં પોતાના ઉમેવદારોન ટિકિટના માંગ કરીને વિરોધ નોધવામાં આવી રહ્યો છે બીજી બાજુ ભાજપે ઓબીસીના ગણીતને પણ યોગ્ય ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
