Corona Vaccine : 1.6 કરોડ લોકોને નિયત સમયે કોરોના રસીનોનો બીજો ડોઝ ન મળ્યો!
કોરોના મહામારી સામેની લડાઈમાં રસી એ સૌથી અસરકારક હથિયાર છે, તેથી જ સરકાર લોકોને મોટા પ્રમાણમાં રસી મેળવવા માટે અપીલ કરી રહી છે. આ છતાં દેશમાં 1.6 કરોડ લોકો કોરોના રસીનો બીજો ડોઝ ચૂકી ગયા છે.
કોરોના મહામારી સામેની લડાઈમાં રસી એ સૌથી અસરકારક હથિયાર છે, તેથી જ સરકાર લોકોને મોટા પ્રમાણમાં રસી મેળવવા માટે અપીલ કરી રહી છે. આ છતાં દેશમાં 1.6 કરોડ લોકો કોરોના રસીનો બીજો ડોઝ ચૂકી ગયા છે. આ એવા લોકો છે જેમણે કોરોના રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે પરંતુ બીજો ડોઝ મળ્યો નથી. આ લોકોને વધુમાં વધુ 16 અઠવાડિયા પછી રસીનો બીજો ડોઝ લેવાનો હતો, પરંતુ આ લોકોને રસી મળી શકી ન હતી.
આ 1.6 કરોડ લોકોમાંથી મોટા ભાગના વૃદ્ધ છે, જ્યારે બાકીના એવા લોકો છે જેમને કોરોનાનું સૌથી વધુ જોખમ છે, તેમાં મુખ્યત્વે આરોગ્ય કર્મચારીઓ અને 45 વર્ષથી વધુ ઉંમરના ફ્રન્ટલાઈન વર્કરો છે. 2 મે સુધી કોરોનાની રસી મેળવનારા લોકોની સંખ્યાના આધારે આ આંકડો સામે આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 2 મે બાદ 1.6 કરોડ લોકોને કોરોનાનો બીજો ડોઝ મળવો જોઈતો હતો પરંતુ તેઓ આ ડોઝ મેળવી શક્યા નથી.
13 મેના રોજ સરકારે 12-16 સપ્તાહની અંદર કોરોના વેક્સીન કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાની મંજૂરી આપી હતી, જે 85 ટકા લોકોને પહેલેથી મળી ચૂકી છે. તે જ સમયે, કોવેક્સિન માટે 4-6 અઠવાડિયાનો અંતરાલ આપવામાં આવ્યો છે, જે દરમિયાન રસીનો બીજો ડોઝ આપવાનો છે. સરકારે નક્કી કરેલી સમય મર્યાદામાં 1.6 કરોડ લોકોને બીજો ડોઝ મળી શક્યો નથી. સરકારી આંકડા મુજબ, 12.8 કરોડ લોકોને 2 મે સુધી કોરોનાનો પ્રથમ ડોઝ મળ્યો હતો. આમાંથી, 11.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે.
60 વર્ષથી વધુ ઉંમરના એક કરોડ લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે 45-59 વર્ષની વયના 45 લાખ લોકોને રસી આપવામાં આવી છે. 12 લાખ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે. જ્યારે 1.8 લાખ ફ્રન્ટલાઈન કર્મચારીઓને કોરોનાનો પ્રથમ ડોઝ મળ્યો છે,0 પરંતુ સોમવાર સુધી આ લોકોને બીજો ડોઝ મળી શક્યો નથી. આનું સૌથી મોટું કારણ એ આપવામાં આવ્યું છે કે લોકો કોવિન એપ પર સ્લોટ બુક કરાવી શકતા નથી.