કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોને ચૂંટણી લડવાની સુપ્રીમ કોર્ટની મંજૂરી
કર્ણાટકના 17 અયોગ્ય ધારાસભ્યોને ચૂંટણી લડવાની સુપ્રીમ કોર્ટની મંજૂરી
બેંગ્લોરઃ કર્ણાટકના બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠહેરાવાયા તેની વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભલાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજીનામુ આપવાથી સ્પીકરના અધિકાર ખતમ નથી થઈ જાતા. જો કે અયોગ્યતા મામલે ધારાસભ્યોને પોતાનો પક્ષ રાખવાનો મોકો મળવો જોઈતો હતો.

કોર્ટના આ ફેસલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે કર્ણાટકના અયોગ્ય ગણાવેલ 17 બાગી ધારાસભ્યો હવે ચૂંટણી લડી શકશે. જણાવી દઈએ કે કર્ણાટકમાં ધારાસભ્યોની અયોગ્યતા બાદ ખાલી થયેલ 15 વિધાનસભા સીટ પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી થનાર છે. વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે વિધાનસભામાં એચડી કુમારસ્વામી સરકારના વિશ્વાસ પ્રસ્તાવ પહેલા જ 17 બાગી ધારાસભ્યોને અયોગ્ય ઘોષિત કરી દીધા હતા.
વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવામા નિષ્ફળ રહેવા પર કુમારસ્વામીની સરકારે રાજીનામું આપી દીધું હતું. જે બાદ ભાજપના બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં રાજ્યમાં નવી સરકારની રચના થઈ હતી. ચૂ્ંટણી પંચે પહેલા 21 ઓક્ટોબરે 15 સીટ પર પેટાચૂંટણી કરાવવાની ઘોષણા કરી હતી પરંતુ બાદમાં અદાલતમાં મામલો પેન્ડિંગ રહેવાના કારણે તેને પાંચ ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવ્યો હતો. પેટાચૂંટણી માટે આચાર સંહિતા 11 નવેમ્બરથી પ્રભાવિત થઈ જશે. પેટાચૂંટણી માટે નામાંકન દાખલ કરાવવાનું કામ 11 નવેમ્બરે ફરીથી શરૂ થશે અને 18 નવેમ્બરે સમાપ્ત થઈ જશે.
કર્ણાટકના અયોગ્ય ધારાસભ્યોએ હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં એક નિવેદન દાખલ કરી 15 સીટ માટે થનાર પેટાચૂંટણીની તારીખ સ્થગિત કરવાનો ચૂટણી પંચને અનુરોધ કર્યો હતો. આ ધારાસભ્યોનું કહેવું હતું કે તેમની અરજીઓ પર ન્યાયાલયનો નિર્ણય આવે ત્યાં સુધી ચૂંટણી પંચે આ સીટો પર ચૂંટણી ન કરાવવી જોઈએ.
અયોગ્ય ઘોષિત ધારાસભ્યોની દલીલ હતી કે સદનની સદસ્યતાથી ત્યાગપત્ર આપવાનો તેમનો અધિકાર છે અને અધ્યક્ષનો નિર્ણય દુર્ભાવનાપૂર્ણ છે અને તેનાથી પ્રતિશોધ જોવા મળે છે. આ ધારાસભ્યોમાંથી અનેકે સદનની સભ્યતાથી રાજીનામું આપતા અધ્યક્ષને પત્ર લખ્યા હતા.












Click it and Unblock the Notifications
